________________
જમનિવારણ ,
કમલે તરત જવાબ આપે કે “બાકી કંઈ ન રહે.' ગુએ કહ્યું : “બરાબર વિચાર કરીને જવાબ આપ. આથી કમલે થડે વિચાર કરીને કહ્યું કે “શૂન્ય બાકી રહે.”
- ગુરુએ કહ્યું: “એકડાની કિંમત શી અને મીંડાની કિમત શી?”
કમલે કહ્યું : “એકડાની કિંમત એક અને મીંડાંની કિંમત કંઈ નહિ.”
ગુરુએ કહ્યું: “જે એમજ હેયતે ૧૦૦૦ ની સંખ્યામાંથી એક મીંડું ભૂંસી નાખ.”
કમલે કહ્યું, “તે ૧૦૦૦ના ૧૦૦ બની જાય, એટલે કિંમત દશમા ભાગની થઈ જાય.”
ગુરુએ કહ્યું : “એને અર્થ એ ખરે ને કે મીંડાની પણ કંઈક કિંમત છે?” - કમલે કહ્યું: “હા, ગુરુદેવ. મીંડાની પણ કિંમત તે છે જ. પણ તે એકડે હોય તે.”
ગુરુએ કહ્યું: “સાબાશ! હવે તું બરાબર છે . જે એકડે હેય તે મીંડાંની કિંમત, નહિ તો મીંડાની કિંમત નહિ. આ જ વસ્તુ આપણાં જીવન પરત્વે સમજવાની છે. આપણું જીવન છે, તે મીંડાં સમાન છે અને ધર્મ છે, તે એકડા સમાન છે. જે મીંડાંમાં એકડે ભળે, એટલે જીવનમાં ધર્મ ભળે તે તેની કિંમત છે, નહિ તે એની કિંમત કંઈ નથી. ખાવું-પીવું, હરવું-ફરવું, સૂવું-બેસવું, વિષયાગ કર એ તે પશુઓ પણ કરે છે, પરંતુ તેમનાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org