________________
૨૨
તંત્રનું તારણ કરવા માટે બહાર પડે છે. તેને રંગ લાલ, પીળો, સોનેરી વગેરે હોય છે, પણ તદન કાળે હેતો નથી. પરંતુ તેની ચાંચ કળી હોય છે, અને તે ચાંચ વડે પળવારમાં અક્ષરે. રૂપી બેપાંચ ઇંડાં મૂકે છે. આ ઇંડાં એવાં છે કે જે ચંપાવા છતાં ફૂટતાં નથી, એટલે કે સૂકાઈ ગયા પછી તેના પર હાથ ફેરવીએ તે ભૂંસાતા નથી.
હે કમલ! આવી કલમ વડે ચાર પ્રકારનાં શા. લખાય છેઃ ધર્મશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, કામશાસ્ત્ર અને મોક્ષ શાસ્ત્ર.”
કમલે પૂછ્યું: “આ શાસ્ત્રમાં શું આવે છે?’ ગુરુએ કહ્યું: “મનુષ્ય આ જીવનમાં કે આચાર-વિચાર રાખવે અને તેનું શું પરિણામ આવે છે? વગેરે વિચાર ધર્મશાસ્ત્રમાં કરેલ હોય છે, મનુષ્ય વેપારધંધો કેવી રીતે કરે? અને અર્થ એટલે ધનનું ઉપાર્જન કેવી રીતે કરવું ? તેને વિચાર અર્થશાસ્ત્રમાં આવે છે. મનુષ્ય કેવી રીતે કામસુખ ભેગવવું તેને વિચાર કામશાસ્ત્રમાં આવે છે, અને મનુષ્ય પરમાનંદની પ્રાપ્તિ કેમ કરવી? તેને વિચાર મેક્ષશાસ્ત્રમાં આવે છે. આ વિષયમાં તારે વિશેષ જાણવાની ઈચ્છા હોય તે કાલે કહીશું.'
કમલ બીજા દિવસે સમયસર હાજર થયો અને વદન કરીને સામે બેઠે, એટલે ગુરુએ કહ્યું: “હે કમલ ! તું વ્યવહારમાં ઘણે કુશળ છે અને લાખેનાં લેખાં કરી શકે છે, તે તને એક નાનકડે સવાલ પૂછું છું કે “એકમાંથી એક જાય તે બાકી શું રહે?”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org