________________
૨૪
તંત્રનું તારણ
નથી, પણ ત્યાગી નિસ્પૃહી મુનિવરે તથા આચાર્યોએ જ કરેલી છે.
- મંત્ર-યંત્ર-તંત્ર એ અભુત શક્તિશાળી વસ્તુ છે. જે તેને સદુપયોગ કરવામાં આવે છે તેથી ઘણે લાભ થઈ શકે છે અને તેથી જ ધર્માચાર્યોએ તેને ધર્મમાં સ્થાન આપેલું છે. આ વસ્તુને કેઈએ દુરુપયોગ કર્યો હોય, તેટલા માત્રથી એ વસ્તુ ખરાબ થઈ જતી નથી.
અહીં કોઈ એમ કહેતું હોય કે ધર્મને ઉદ્દેશ મનુષ્યને મુક્તિ ભણી લઈ જવાનું છે, તેની સાથે આ વસ્તુ સંગત થતી નથી, તે એ કથન વિશેષ વિચાર કર્યા વિનાનું છે. અમે કહીએ છીએ કે મંત્ર-યંત્ર-તંત્ર એ મેક્ષમાર્ગનાં સાધનભૂત સમ્યગ્ર દર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યક્રચારિત્ર ત્રણેની પુષ્ટિ કરનારી છે. નમસ્કાર એ મંત્ર છે, સિદ્ધચકચ્છ એ યંત્ર છે અને સ્નાત્રપૂજા એ એક જાતનું તંત્ર છે. શું આ વસ્તુઓ સમ્યગ્રદર્શનની પુષ્ટિ કરનારી નથી? મંત્રના અર્થભાવ-રહસ્ય પર વિચાર કરીએ તે સમ્યગ જ્ઞાનની વૃદ્ધિ થાય છે, યંત્રની આરાધ્ય વસ્તુ પર ઊંડું મનન કરીએ તે સમ્યગ્ર જ્ઞાનની વૃદ્ધિ થાય છે અને પૂજાદિ તંત્રમાં તલ્લીન થઈએ તે પણ સમ્યગજ્ઞાનની વૃદ્ધિ થાય છે.
જૈન ધર્મમાં વિવિધ પ્રકારની જે પૂજાએ રચાયેલી છે, તેમાં શાસ્ત્રીય વિષયેનું ઊંડું જ્ઞાન ભરેલું છે, જેની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org