________________
મિનિવારણ
૨૫
mm ખાતરી પૂજાસંગ્રહનું પુસ્તક લઈ તેમાંની કોઈ પણ પૂજા વાંચવાથી થઈ શકશે.
| મંત્ર-યંત્ર-તંત્રની સાધના-આરાધનાથી શુભ ભાવની વૃદ્ધિ થાય છે, એટલે તે ચારિત્રની પુષ્ટિ કરનાર પણ છે. આ રીતે મંત્ર-યંત્ર-તંત્ર મેક્ષમાર્ગમાં ઉપકારક હોવાથી તેને નિષેધ કરે કે તેનું મૂલ્ય ઓછું આંકવું એ કંઈ રીતે વ્યાજબી નથી.
કેટલાક કહે છે કે “મંત્ર-યંત્ર-તંત્રની મોક્ષ માર્ગ સાથે ભલે સંગતિ કરવામાં આવી હોય, પણ તેની ફલકૃતિમાં તે ઐહિક સુખોની જ યાદી હોય છે, એટલે અમે તેને ધર્મમાં સ્થાન આપવાનું પસંદ કરતા નથી. પરંતુ ઊંડો વિચાર કરવાથી જણાશે કે આ માન્યતા પણ ભૂલ ભરેલી છે. ધર્મનું માહાસ્ય બતાવવું હોય તે “ઘરના
જે શરપરા સમાચમાયુર્વ” વગેરે વર્ણન કરવું પડે છે, તેથી ધર્મ શું અહિક સુખની અભિમુખતા વાળે થયે? ખરી હકીક્ત તે એ છે કે ધર્મથી વિમુખ આત્માઓને ધર્મની વાત એકદમ ગમતી નથી. જે તેમને પ્રથમ તેમની રુચિ અનુસાર કંઈ પણ આપવામાં આવે છે, તે તેઓને ધર્મની બાબતમાં ધીમે ધીમે રસ પડતો જાય છે અને છેવટે તે ધર્મપરાયણ બની શકે છે. આ વિષયમાં જૈન શાસ્ત્રકારોએ શ્રષ્ટિપુત્ર કમળની કથા કહી છે, તે બરાબર લક્ષમાં રાખવા જેવી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org