________________
તંત્રનું તારણ એપુિત્ર કમલની કથા શ્રીપુર નામે એક નગર હતું. તેમાં શ્રીપતિ નામે એક શેઠ રહેતું હતું. તેને સુંદરી નામની ભાર્યા હતી. તેનાથી કમલ નામને એક પુત્ર થયું હતું. તે અનુકમે બધી કલાઓમાં પ્રવીણ થયો, પણ બહોતેર કળાની શિરતાજ જે ધર્મકલા કહેવાય, તેનાથી વિમુખ રહ્યો. તેના પિતા જ્યારે પણ ધર્મસંબંધી કઈ વાત શરૂ કરતા કે તે બગાસાં ખાવા માંડતે કે આંખે ચેળીને ઊભું થઈ જતું. એક લોકકવિએ કહ્યું છે કે –
જેનું મન જે શું વસ્યું, તેને તે જ સુહાય; દ્રાક્ષ તણે તછ માંડે, કાગ લીબળી ખાય.
હવે એક વાર નગરની સમીપમાં રહેલાં ઉદ્યાનમાં શ્રી શીલંધર નામના આચાર્ય પધાર્યા. તે જાણુને શ્રીપતિ શેઠ તેમને ઉપદેશ સાંભળવા ગયે. એ ઉપદેશ પૂરો થયા પછી તેણે બે હાથ જોડીને કહ્યું: “પૂજ્ય ગુરુદેવ ! મારે પુત્ર કમલ બધી વાતે હોશિયાર છે, પણ ધર્મથી વિમુખ છે, તેથી તેને ધર્મ પમાડવાની કૃપા કરે.”
ગુરુએ કૃપા કરી તે વાતને સ્વીકાર કર્યો, એટલે શ્રીપતિ શેઠે ઘરે આવી કમલને કહ્યું કે “આજે તે એક મોટા મહાત્મા નગર બહાર પધાર્યા છે. બધા લકે તેમનાં દર્શને જાય છે, તો તું પણ ત્યાં જઈ તેમનાં દર્શન કરી આવ.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org