________________
૧૭
તંત્રશાસ્ત્રની મહત્તા તેમણે પ્રથમ પ્રકારની કણેરની સોટી બ્રાહ્મણે સામે ધરી કે તેઓ નિચેષ્ટ થઈને જમીન પર પડી ગયા.
આ દશ્ય જોતાં જ રાજાનું મુખ ઉતરી ગયું અને તે ઉપાધ્યાયજીનાં ચરણે પડીને કહેવા લાગ્યું કે “હે મહાવિદ્યાશાળી ! અમારું રક્ષણ કરે અને કૃપા કરીને અમારે આ અપરાધ ક્ષમા કરે, કારણ કે સંત પુરુષે વિનતિવત્સલ હોય છે. તમે આ બ્રાહ્મણને જીવિતદાન આપે.”
ઉપાધ્યાયજીએ કહ્યું: “પિતાની શક્તિને નહિ જાણનાર હે રાજન ! તને આ મિથ્યા કદાગ્રહ કે લાગે ! જો કે આનંદ અને જ્ઞાનસ્વરૂપ શ્રી જિનેશ્વર દે મોક્ષપદને પામ્યા છે, તે પણ તેમના અધિષ્ઠાયક દેવે સદા જાગૃત હોય છે. એક પંચમહાવ્રતધારી સાધુ ગૃહસ્થાશ્રમમાં રહેલા એવા સામાન્ય બ્રાહ્મણોને કેવી રીતે પ્રણામ કરે? તેથી કપાયમાન થયેલા દેવોએ આ શિક્ષા કરેલી છે, તેમાં મેં કંઈપણ કરેલું નથી, કારણ કે મારા જેવાનું ભૂષણ તે ક્ષમા જ છે.”
ત્યારે રાજાએ પુનઃ વધારે આગ્રહ કરીને કહ્યું કે હે ભગવન્! તમે જ મારા દેવ, ગુરુ, માતા, પિતા શરણ રૂપ છે. વિશેષ કહેવાથી શું? હે જીના જીવનરૂપ! અમને જીવાડવાની કૃપા કરે.”
એટલે ઉપાધ્યાયજીએ કહ્યું: “હે ભૂપાલ! કુપિત થયેલા દેવને હું શાંત કરીશ.” પછી તેઓ દેવ-દેવીઓને ઉદ્દેશીને કહેવા લાગ્યા કે “હે વિદ્યાદેવીએ ! હે યક્ષો અને યક્ષિણીઓ! તમને કહું છું કે આ રાજાનાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org