________________
૧૩.
તંત્રશાસ્ત્રની મહત્તા આવે છે, તેમનું સાધન કઈ રીતિએ કરવું એ પણ આવે છે, તેના પુરશ્ચરણને વિધિ પણ આવે છે, તેમ જ ષષ્કર્મસાધન અને ધ્યાનયેગનું વર્ણન પણ આવે છે.
બૌદ્ધ તંત્રમાં પણ લગભગ આવી જ પરિસ્થિતિ છે, એટલે શહીતંત્રે આગમ અર્થાત્ તંત્રશાસ્ત્રમાં જે સાત લક્ષણે બતાવ્યાં છે, તેમાંના પહેલાં બે લક્ષણોને બાદ કરીએ તે બાકીનાં પાંચ લક્ષણે સર્વ તંત્રને સામાન્ય રૂપમાં લાગુ પડે છે.
આ પરથી “તંત્ર કેને કહેવાય?” તેને પાઠકને સ્પષ્ટ ખ્યાલ આવી શકશે. ૩–તંત્રશાસ્ત્રની મહત્તા
ભારતનાં શિષ્ટ સાહિત્યમાં સ્થાન પામેલે નિમ્ન શ્લેક તંત્રશાસ્ત્રની મહત્તા પ્રકટ કરનારે છે :
अन्यान्यशास्त्रेषु विनोदमात्रम् । न तेषु किञ्चिद् भुवि दृष्टमस्ति । चिकित्सित-ज्योतिष-मन्त्रवादाः पदे पदे प्रत्ययमावहन्ति ॥
બીજાં બધાં શાસ્ત્રોમાં તે એક પ્રકારને બુદ્ધિને વિદ માત્ર છે, કારણ કે તેમાંનું કઈ પણ પ્રત્યક્ષ દેખાતું નથી. પણ વૈદક, તિષ અને તંત્ર એ ત્રણ શાસ્ત્રો એવા છે કે જે આપણને પગલે પગલે સત્ય હોવાને અનુભવ. કરાવે છે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org