________________
૩૦
તેનું તારણ હસ્તિનીનું વર્ણન કર્યું અને છઠ્ઠા દિવસે શંખિણીનું વર્ણન કર્યું. જેનાં મુખમાંથી સરસ્વતી વહેતી હોય તેનાં વર્ણનમાં શું ખામી હોય ? કમલ તે આ સાંભળી લટું જ બની ગયે અને “હવે ક્યારે ગુરુ પાસે જાઉં?” એવી ઉત્સુકતા સેવવા લાગે. ગુરુ પણ તેને રોજ નવી નવી વાત કહેવા લાગ્યા અને તેની ઉત્સુકતા વધારવા લાગ્યા.
હવે એક દિવસ ગુરુએ કહ્યું : “કમલ! તું ખૂબ ચતુર છે, તે હું એક વરત પૂછું, તેને ઉત્તર આપ.” પછી તેમણે નીચેનું વરત પૂછ્યું :
નારી બેઠી ગેખમાં, કરે સઘળાંયે કામ; રાતી રસભીની રહે, છેડે નહિ નિજ ઠામ, ચાકર ચેકીદાર શા, બહુલા રાખે પાસ; કામ કરાવે તે કને, વિલસે આપ વિલાસ. જોડે પ્રીતિ બહુ થકી, તેડે પણ તિણુવાર, કરવી વશ તેને ઘટે, સુખ વાંછે જે સાર.
કમલે તેના પર ખૂબ વિચાર કર્યો, પણ ઉત્તર જડ નહિ. ત્યારે ગુરુએ કહ્યું : “એને ઉત્તર જીભ છે. એ મુખરૂપી ગોખમાં બેઠેલી છે અને ત્યાં બેસીને પોતાનાં સઘળાં કામ કરે છે. તે રંગે રાતી છે અને પિતાનું સ્થાન છેડતી નથી. તે દાંતરૂપી ચાકરેને પોતાની પાસે રાખે છે અને તેમની પાસે બધું કામ કરાવે છે, જ્યારે પિતે તેને સ્વાદ માણવા રૂપી વિલાસજ કરે છે. આ જીભ સારૂં બેલીને ઘણનાં સનેહને તેડી પણ નાખે છે. તેથી જે માણસ ઉત્તમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org