SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ તંત્ર કોને કહેવાય? આવે છે. આ કર્મ વિષે જે સાહિત્ય રચાયું હોય, તેને આપણે ધાર્મિક સાહિત્ય કહીશું કે બીજું? તેવું જ આમાં પણ સમજવાનું છે. - શાકતોએ પિતાના તંત્રગ્રથને અનુલક્ષીને તેની એક વિશિષ્ટ વ્યાખ્યા વારાહીતંત્રમાં કરી છે, તે પણ અહીં પ્રસંગવશાત્ જણાવી દઈએ: सृष्टिश्च प्रलयश्चैव, देवतानां तथार्चनम् । साधनं चैव सर्वेषां, पुरश्चरणमेव च ॥ षट्कर्मसाधनं चैव, ध्यानयोगश्चतुर्विधः । सप्तभिलक्षणैर्युक्तमागमं तद्विदुर्बुधाः ॥ “(૧) આ સૃષ્ટિ એ શું વસ્તુ છે? (૨) તેને પ્રલય કેવી રીતે થાય છે? (૩) દેવતાઓનું અર્ચન-પૂજન કઈ રીતિએ કરવું? (૪) તેમનું સાધન-આરાધન કઈ રીતિએ કરવું? (૫) તેનું પુરશ્ચરણ વગેરે કયા પ્રકારે કરવું ? (૬) ષટ્કર્મસાધન એટલે શાંતિ, વશીકરણ, સ્થંભન, વિદ્વષણું, ઉચ્ચાટણ અને મારણ એ છ ક્રિયાઓમાં નિષ્ણાત શી રીતે થવું ?* અને (૭) ચાર પ્રકારને ધ્યાનયોગ કેવી રીતે કરો?' આ સાત વિષયનું જેમાં વર્ણન હોય તેને વિદ્વાને આગમ' કહે છે.” ( * ઉ દ્રોનું શમન કરવું તે શાંતિકર્મ, કોઈને વશ કરવા તે વશીકરણકર્મ, કેઈને આગળ વધતાં કે ક્રિયા કરતાં અટકાવી દેવા તે સ્થંભન કર્મ, કેની મિત્રતા તોડવી તે વિઝણકમ, કોઈને સ્થાનકષ્ટ કરે તે ઉચ્ચાટન” અને કોઈને પ્રાણ હરવો તે મારણકર્મ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005479
Book TitleTantronu Taran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1961
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy