Book Title: Tantronu Taran
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 52
________________ તંત્રશાસ્ત્ર અને મંત્રવિજ્ઞાન ૫ મુદ્રા, નિવાણું, પ્રાણતત્વ, પ્રાણગ, દીપની, અમૃતગ, મંત્રચિંતા, ઉત્કલન વગેરે. મંત્રાધિરાજ નામના મહાન જૈન તંત્રગ્રંથમાં જપના ૧૩ ભેદ બતાવ્યા છે; તે ખૂબ સમજવા જેવા છે. આ ઉપરાંત તંત્રગ્રંથમાં ભૂતશુદ્ધિ, ષડંગન્યાસ, સકલીકરણ, આત્મરક્ષા, યંત્રપૂજન, મંડલ, મુદ્રા, પ્રાર્થના, આસન, હેમ, જપ, તર્પણ, ધ્યાન, ઈષ્ટદેવતાનું પૂજન તથા મહાપૂજન વગેરે અનેક બાબતેનાં વર્ણન હોય છે. તાંત્રિક ઉપાસનાને મુખ્ય સૂર એ છે કે “રેવો મૂવા રેવં ચતુ, નવો વિમ–દેવ થઈને દેવની પૂજા કરવી, કારણ કે દેવ થયા વિના દેવનું અર્ચન થતું નથી.” કોઈને આમાં વિરોધાભાસ પણ લાગે કે “દેવ થયા પછી દેવની પૂજા કરવાની જરૂર શી? અને દેવ થયા વિના દેવનું અર્ચન થતું ન હોય તે મનુષ્ય દેવનું અર્ચન ક્યારે કરી શકે ? પરંતુ અહીં કહેવાનું તાત્પર્ય એવું છે કે મનુષ્ય જે ઈષ્ટદેવતાનું પૂજન કરવું હોય તેનાં સ્મરણજપ-ધ્યાનમાં ચિત્તને એવું પરેવી દેવું કે તે ચિત્ત દેવમય થઈ જાય અને ત્યારે જ ઈષ્ટદેવની સાચી પૂજા થઈ ગણાય. જે આ રીતે ચિત્તને દેવત્વ પમાડતા નથી, તે સાચા અર્થમાં દેવતાનું પૂજન કરી શકતા નથી. તાંત્રિકે દેવતાઓની પૂજાને જે વિધિ ખીલ છે, તે પણ ધ્યાનમાં રાખવા જેવું છે. તેમાં પોપચાર, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66