Book Title: Tantronu Taran
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 49
________________ તંત્રનું તારણ मन्त्राचैतन्यसंयुक्ताः सर्वसिद्धिकराः स्मृताः। चैतन्यरहिता मन्त्राः प्रोक्ता वर्णास्तु निष्फलाः ।। ચેતન્યયુક્ત હોય તે જ મંત્ર ગણાય અને એવા મંત્રે જ સિદ્ધિ કરનારા હોય છે. તે વગરના મંત્ર કેવળ જડ અક્ષરે છે અને પરિણામે તે ફળતા નથી” મંત્રમૈતન્યને માટે પુરશ્ચરણને વિધિ છે. તે માટે નિત્ય ત્રિકાલપૂજા, જપ, તર્પણ, હોમ વગેરે કરવાનાં હોય છે. એક તંત્રગ્રંથમાં કહ્યું છે કે मणिपुरे सदा चिन्ता मन्त्राणां प्राणरूपकम् । મંત્રના પ્રાણરૂપ મણિપુર ચક્રમાં સદા ચિંતન કરવું.” આજે તે મંત્રદાતાઓને પિતાને પણ ચક કેટલાં? અને તે ક્યાં આવ્યાં તેનું પુરું જ્ઞાન નથી, તે સાધકની વાત જ શી કરવી ? તંત્રશાસ્ત્રોએ માનવશરીરને સૂક્ષમ અભ્યાસ કરીને છ ચકો નક્કી કર્યા છે. તેમાંનું પ્રથમ ચક મૂલાધાર છે, તે ગુદાની ઉપર અને લિંગમૂળની નીચે સુષુણ્ણા નાડીનાં મુખમાં સંલગ્ન છે. બીજું સ્વાધિષ્ઠાન ચક લિંગમૂલમાં રહેલું છે. ત્રીજું મણિપુર ચક નાભિનાં મૂળમાં છે. ચોથું અનાહત ચક હૃદયમાં રહેલું છે. પાંચમું વિશુદ્ધ ચક કંઠમાં સ્થિત છે અને છહું આજ્ઞાચક આંખની બંને ભ્રમરેની વચ્ચે આવેલું છે. આ છ ચક્રો પિકી મૂલાધાર ચક્રમાં કુંડલિની શક્તિ રહેલી છે. તે વિધિ અનુસાર ક્રિયા કરતાં જાગ્રત થઈને ઉપર આવે છે. આ રીતે જ્યારે તે છે ચકને ભેદ કરે છે, ત્યારે બ્રહ્મરંધ્રમાં રહેલાં સહસ્ત્રાર કમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66