Book Title: Tantronu Taran
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 29
________________ ૨૮ તંત્રનું તારણે ખાવું-પીવું, લહેરથી હરવું-ફરવું અને નિરાંતે ઊંઘી જવું.” એ સાંભળી ગુરુએ કહ્યું કે “આ તે ગામડિયાની, ભાષા થઈ. પણ જે ત્યાગ કરવાનું, જાણવાનું અને આદરવાનું છે, તે તું કઈ જાણે છે?” કમલે કહ્યું : “એની મને કંઈ ખબર નથી.” ત્યારે ગુરુએ તેને હેય, રેય અને ઉપાદેયનાં સ્વરૂપવાળી ધર્મદેશના આપવા માંડી. એ દેશનાને અંતે તેમણે પૂછ્યું કે “હે ભદ્ર! તું આમાંથી શું સમજે?” કમલે કહ્યું: “મહારાજ આમાં મને તે કંઈ સમજ પડી નહિ, બાકી એટલું હું સમજી શકે કે આપ જ્યારે દેશના દેતા હતા, ત્યારે આપની નજીક જે ઝાડ છે, તેનાં થડમાંથી ૧૦૮ મકડા બહાર નીકળ્યા અને તેટલા જ પાછા ગયા.” ગુરુ સમજયા કે આ તે ભસ્મમાં ઘી નાખવા જેવું થયું, અને તેઓ પણ અન્યત્ર વિહાર કરી ગયા. હવે થોડા સમય બાદ શ્રી જ્ઞાનસાગર નામના એક ત્રીજા આચાર્ય ત્યાં આવ્યા. ત્યારે શ્રીપતિ શેઠે તેમની પાસે જઈને પિતાના પુત્રને ધર્મ પમાડવાની પૂર્વવત્ વિનતિ કરી અને બનેલી બધી વાત કહી સંભળાવી. ગુરુએ પૂછયું; “લૌકિક વ્યવહારમાં તેની બુદ્ધિ કેવી છે?” શ્રીપતિ શેઠે કહ્યું: “ઘણી સારી. હિસાબ, નામુંઠામું, લેણદેણ બધું બરાબર કરે છે.” ગુરુદેવે કહ્યું: “તે તમે ફીકર કરશે નહિ. એ જરૂર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66