Book Title: Tantronu Taran
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 35
________________ ૩૪ તંત્રનું તારણ જીવનમાં ધર્મ નથી, એટલે તેની કંઈ કિંમત નથી. મનુષ્ય ધારે તો પિતાનાં જીવનમાં ધર્મનું આચરણ કરી શકે છે અને તેની કિંમત ખૂબ વધારી શકે છે, તેથી બુદ્ધિમાન મનુષ્ય પિતાનાં જીવનને ધર્મરૂપી એકડાથી અવશ્ય મૂલ્યવાન બનાવવું જોઈએ.” ગુરુ મહારાજના આ શબ્દએ કમલનું હૃદય ભેદી નાખ્યું અને તે કહેવા લાગ્યા : “ગુરુદેવ! અત્યાર સુધી મારું જીવન શૂન્ય રહ્યું છે. હવે તેમાં ધર્મ રૂપી એકડે પૂરી તેને મૂલ્યવાન બનાવવામાં મદદ કરો.” પછી ગુરુએ તેને ધર્મની વિશેષ સમજ આપી અને કમલે કેટલાક વ્રતનિયમે ગ્રહણ કર્યા. આખરે તે ધર્મ– પરાયણ બન્યા અને પોતાનું જીવન સાર્થક કરી ગયે.” એટલે મનુષ્યને ધર્મ પમાડવા માટે આચાર્યોને તેમની મનોદશા–મવૃત્તિ ઉપર પણ પૂબ ધ્યાન આપવું પડે છે. શ્રી ચિતન્યદેવે બંગાળમાં કરેલો હરિનામપ્રચાર બંગાળમાં ગૌરાંગદેવ યાને ચિતન્ય મહાપ્રભુનું નામ આજે ઘરઘરમાં જાણીતું છે. તેમનાં જીવનને એક પ્રસંગ પણ આ વસ્તુની પુષ્ટિ કરે છે. શ્રી ચૈતન્યદેવે પિતાના ભક્ત શિષ્ય હરિદાસને સર્વત્ર હરિનામને પ્રચાર કરવાની આજ્ઞા કરી હતી. ભક્ત હરિદાસ એ નામને પ્રચાર કરવા બંગાલના ઘણા પ્રદેશમાં ફર્યા, પરંતુ તેમને પ્રયત્ન સફળ થયે નહિ, તેથી તેઓ પાછા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66