Book Title: Tantronu Taran
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 22
________________ તંત્રશાસ્ત્રની મહત્તા ૧ તંત્રશાસ્ત્રોને જાતે અભ્યાસ કરવે જોઈએ અને તેમાં જે વસ્તુ સારભૂત જણાય, તેને હંસ-નીર-ક્ષીરન્યાયે સ્વીકાર કરવું જોઈએ. અહીં અમને બેધડક કહેવા દે કે આ તંત્રશાસ્ત્રોમાં ઘણું વિજ્ઞાન ભરેલું છે અને તેથી વિદેશી વિદ્યાપ્રેમી ગૃહસ્થ મેં–માગ્યું મૂલ્ય આપીને આ વિષયના ગ્રંથ મેળવી રહ્યા છે અને તેમાંથી નવી નવી વસ્તુઓ શોધીને તેને ઉપયોગ હુન્નર, ઉદ્યોગ તથા વૈજ્ઞાનિક પ્રગતિ અંગે કરી રહ્યા છે, ત્યારે આ ગ્રંથની હસ્તલિખિત પ્રતિઓને આપણે નકામી ગણી વેચી રહ્યા છીએ. જે સમાજે જ્ઞાનમાં સંરક્ષણ માટે લાખે-કોડે રૂપિયા ખર્ચા, તેની આ દશા! આજે આપણામાં જ્ઞાનપ્રેમ રહ્યો નથી, નવું નવું જાણવાની ઉર્મિ લગભગ ઓસરી ગઈ છે, એટલે આ વસ્તુનું મૂલ્યાંકન કરી શકતા નથી, પણ એ આપણું દેશનું ખરું જવાહિર છે, તે આપણે ભૂલવાનું નથી. આજથી છ વર્ષ પહેલાં મુંબઈના સાગરતટે એક મહાલયમાં અમારે સ્વામી માધવાનંદ નામના એક તંત્રવિશારદ સંન્યાસીને મળવાને પ્રસંગ ઊભું થયું હતું. તે વખતે તેમની સાથે આપણું તંત્રવિદ્યા સંબંધી વાત નીકળતાં જાણી શકાયું હતું કે તેઓ અઢી લાખ રૂપિયાનાં ખર્ચે ભારતના તમામ તંત્રગ્રંથને સંગ્રહ કરી રહ્યા હતા અને તેનું ત્રણ ભાગમાં મુદ્રણ કરી ચિગ્ય અધિકારીઓને આપવાની પ્રેજના કરી ચૂક્યા હતા. તેઓ પોતે ચોગ તેમજ તંત્રવિદ્યાના સારા જાણકાર હતા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66