Book Title: Tantronu Taran
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 24
________________ ર બ્રમનિવારણ જૈન ધર્મનાં મૂળ શાસ્ત્રો છે, તેમાંનું બારમું અંગ દષ્ટિવાદ હાલ ઉપલબ્ધ નથી, પણ તે વીર નિર્વાણ પછી ૨૦૦-૨૫૦ વર્ષ સુધી તે રહેલું જ છે. તેનું વર્ણન આજે નંદીસૂત્ર જેવા એક સર્વમાન્ય આગમમાં પ્રાપ્ત થાય છે. તેમાં જણાવ્યું છે કે “આ દષ્ટિવાદ નામનું બારમું અંગ ઘણું મેટું હતું, તે પાંચ ભાગમાં વહેંચાયેલું હતું અને તેને એક ભાગ ચૌદ પૂર્વે તરીકે ઓળખાતું હતું. આ ચૌદ પૂર્વેમાં દશમું પૂર્વ વિદ્યાપ્રવાદ નામનું હતું અને તેમાં વિદ્યા તથા મંત્રને અર્થાત્ મંત્ર-યંત્ર-તંત્રને માટે સંગ્રહ હતે.” વળી સિદ્ધપ્રાભૃત અને નિપ્રાભૂત વગેરે ગ્રંથે તંત્રવિષયક જ છે. એટલે જૈન શાસ્ત્રોએ મંત્ર-યંત્ર-તંત્રને મૂળથી સ્થાન આપેલું છે, એ નિશ્ચિત છે. કેઈએમ માનતું હોય કે જૈનાચાર્યોએ મંત્રતંત્રમાં પડવું એ ઠીક નથી, તે જૈનાચાર્યોનું વર્ણન કરતાં જૈન શાસ્ત્રોએ તેમને વિદ્યા અને મંત્રના જાણકાર કહ્યા છે. વળી જૈન શાસ્ત્રોમાં આઠ પ્રભાવકોનું જે વર્ણન આવે છે, તેમાં વિદ્યાવાન અને મંત્રસિદ્ધ એ બંનેની ગણના કરેલી છે. એટલે આચાર્ય મંત્રતંત્રને અભ્યાસ કરતા, તેમાં નિષ્ણાત થતા અને સમય આવ્યે શાસનની રક્ષા માટે તથા ધર્મી જેનેની સહાય કરવા માટે તેને ઉપયોગ કરતા, એ નિશ્ચિત છે. જે એમ ન હોય તે જૈન ધર્મમાં આજે આટલા મંત્ર, આટલા યંત્રે અને આટલા તંત્રે હેત શી રીતે ? એની રચના કઈ સામાન્ય ગૃહસ્થ કરેલી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66