Book Title: Tantronu Taran
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 23
________________ તંત્રોનું તારણ અને મૂર્તિનાં મુખમાંથી શ્લેક બેલાવવાની તાકાત ધરાવતા હતા. તેમણે અમને કહ્યું કે “જૈન મહાત્માઓએ પણ તંત્રવિદ્યામાં બહુ સારી પ્રગતિ કરેલી છે અને અમે કેટલાક જૈન તંત્રો જોવાની ઈચ્છા ધરાવીએ છીએ ” તેથી અમે તેમને ૪૦ જેટલાં જૈન તંત્રે બતાવ્યાં હતાં અને તેથી તેઓ ઘણું ખુશ થયા હતા. - આ રીતે જ્યારે અન્ય કે આપણે તંત્રની તારીફ કરી રહ્યા છે, ત્યારે આપણે તેની નિંદા કરીએ અથવા તેના પ્રત્યે ઉપેક્ષાભાવથી વર્તીએ, એ કયાં સુધી ઉચિત છે? તેને સહુ સજ્જને શાંતિથી વિચાર કરી જુએ. ૪–બ્રમનિવારણ કેટલાક કહે છે કે મંત્ર-યંત્ર-તંત્રને ધર્મમાં સ્થાન હવું ન જોઈએ, કારણ કે તે મનુષ્યને આડે રસ્તે દેરનારી વસ્તુ છે.” અહીં વિચારવાનું એ છે કે જે મંત્ર-યંત્ર-તંત્ર માનવામાં આવે છે તેવી ખરાબ વસ્તુ હોય તે આપણાં શાસ્ત્રો તેને સ્થાન આપે શા માટે? અને આપણા આચાર્યો તેની સાધના, આરાધના કે ઉપાસનામાં પ્રવૃત્ત થાય શા માટે?” જે કેઈએમ માનતું હોય કે મૂળ જૈન શાસ્ત્રોમાં આ વસ્તુ ન હતી, પણ પાછળથી દાખલ થઈ તે એ માન્યતા ભૂલભરેલી છે. દ્વાદશાંગી એટલે બાર અંગે એ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66