Book Title: Tantronu Taran
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 19
________________ તંત્રોનું તારણ અજ્ઞાનથી બ્રાહ્મણોએ જિનશાસનને જે અપરાધ કર્યો છે, તેને તમે ક્ષમા આપે.” ઉપાધ્યાયજીએ જ્યારે આ પ્રમાણે કહ્યું, ત્યારે દિવ્ય વાણી પ્રકટ થઈ કે “આ બ્રાહ્મણે દીક્ષા ગ્રહણ કરે તો જ મુક્ત થઈ શકે, અન્યથા નહિ.” પછી પાણી છાંટતાં એ બ્રાહ્મણની વાચા ઉઘડી અને તેમને દીક્ષાની વાત પૂછતાં તેમણે એને સ્વીકાર કર્યો. આ જગતમાં પિતાનું જીવિત કેણ ઈચ્છતું નથી? પછી ઉપાધ્યાયજીએ કણેરની બીજી સોટી ફેરવતાં કહ્યું કે “ઉઠે” અને બધા બ્રાહ્મણે ઉઠીને બેઠા થયા. પછી રોમાંચિત થયેલ શ્રીસંઘ સાથે રાજાએ કરેલ મહોત્સવ પૂર્વક ઉપાધ્યાયજી ઉપાશ્રયે આવ્યા. હવે તે બ્રાહ્મણ દીક્ષા લેવાને તત્પર થયા, ત્યારે ઉપાધ્યાયજીએ કહ્યું કે “એ બધું આર્ય ખપૂટાચાર્ય કરશે.” તે સાંભળી શ્રીસંઘે કહ્યું કે “તમે પોતે આવા પ્રભાવશાળી છે, ત્યારે તમારા ગુરુ કેવા હશે?” ઉપાધ્યાયજીએ કહ્યું કે “તેમની આગળ હું કેણ માત્ર ?” પછી શ્રીસંઘે અનુમતિ આપતાં ઉપાધ્યાયજી તે બ્રાહ્મણોને લઈને ભરૂચ તેમના ગુરુ આર્ય ખપૂટાચાર્ય આગળ આવ્યા અને આર્ય ખપૂટાચાર્યે તે બધાને દીક્ષા આપી. આ રીતે તંત્રવિશારદ ગુરુશિષ્યની જુગલ જોડીએ શાસનની મહા પ્રભાવના કરી. યુદ્ધને પ્રસંગ ઊભું થાય, જિતવાની કોઈ આશા ન હાય, હારનું પરિણામ સર્વનાશમાં આવે તેમ હોય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66