Book Title: Tantronu Taran
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 17
________________ તંત્રોનું તારણ વિદ્યાથી અલંકૃત છે, માટે શ્રીસંઘ ભૃગુક્ષેત્રમાં અર્થાત્ ભરૂચમાં બે ગીતાર્થ મુનિઓને મેકલી તેમને અહીં લઈ આવે. જે તેઓ અહીં આવશે, તે આ વસ્તુને પ્રતિકાર થઈ શકશે. શ્રીસંઘે તે પ્રમાણે કર્યું, એટલે આર્ય ખપૂટાચાર્ય ઉપાધ્યાય મહેન્દ્રમુનિને પાટલીપુત્ર જવાની આજ્ઞા કરી અને જતી વખતે કણેરની બે સેટીએ મંત્રી આપી. વધારે સ્પષ્ટ કહીએ તે તેના ઉપર એક જાતને તંત્રપ્રયાગ કર્યો. અનુક્રમે ઉપાધ્યાય મહેન્દ્રમુનિ પાટલિપુત્ર આવ્યા અને સંઘને મળ્યા. પછી દાહડ રાજાની સમક્ષ જઈને તેને જણાવ્યું કે “તમારી આજ્ઞા અને પ્રમાણ છે, પરંતુ તિષીઓએ એવું મુહૂર્ત જેવું જોઈએ કે જે ભવિષ્યમાં સુખકારી નીવડે. તેમનાં આવાં વચન સાંભળી રાજા દાહડ મનમાં અભિમાન લાવીને વિચાર કરવા લાગ્યા કે “અહો ! આવા અપૂર્વકાળમાં પણ મારી સત્તા કેવી ચાલે છે?” પછી તેણે તિષીઓ પાસે મુહૂર્ત કઢાવ્યું. એ દિવસે ત્યાં બિરાજતા બધા સાધુઓ અને શ્રી સંઘસમેત ઉપાધ્યાય શ્રી મહેન્દ્રમનિ રાજસભામાં આવ્યા. તે વખતે સુશોભિત સિંહાસન પર યાજ્ઞિકે, દીક્ષિત, વેદપાધ્યાયે, હમ કરનારાએ, સંધ્યા અને પ્રભાતનું વ્રત કરનારાઓ, સ્માર્ટ, ગોર વગેરે અનેક પ્રકારના બ્રાહ્મણે બેઠેલા જોવામાં આવ્યા. એટલે ઉ. મહેન્દ્રમુનિએ કહ્યું કે “રાજન ! આ કાળા અમને અપૂર્વ લાગે છે. અમે પ્રથમ પૂર્વ ભણે બેઠેલાઓને નમસ્કાર કરીએ કે પશ્ચિમ ભર્યું બેઠેલાઓને ?? અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66