Book Title: Tantronu Taran Author(s): Dhirajlal Tokarshi Shah Publisher: Jain Sahitya Prakashan Mandir View full book textPage 9
________________ તંત્રનું તારણ થાય છે. પરંતુ ઉત્તમ નમસ્કાર કર્યો? મધ્યમ નમસ્કાર કર્યો ? કનિષ્ઠ નમસ્કાર કયો? તેમાંથી કયે નમસ્કાર કરે ઘટે? કેવી રીતે કરવું ઘટે? કયા સમયે કર ઘટે? કેટલી વાર કરવો ઘટે? તે વખતે ચર્યા કેવી રાખવી જોઈએ? વગેરે સંખ્યાબંધ પ્રશ્નો આપણું મનમાં ઉઠે છે. આ પ્રશ્નોનું ગ્ય સમાધાન થાય તે આપણે નમસ્કાર યથાર્થ રીતે કરી શકીએ અને શાસ્ત્રકારોએ તેનું જે ફળ બતાવ્યું છે, તે બરાબર પામી શકીએ. આ વસ્તુ આપણને સૂત્ર પર રચાયેલ નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ અને ટીકા પરથી જાણવા મળે છે, પણ તેમાં જે ગૂઢ વિચાર કે મંત્રનું તત્ત્વ છે, તેને રહસ્યશ્કેટ તેમાંથી પ્રાપ્ત થતી નથી. એ તે તે અંગે રચાયેલ ખાસ તંત્રગ્રંથથી જ પ્રાપ્ત થાય છે કે જેને જૈન સાહિત્યમાં સામાન્ય રીતે કલ્પ કહેવામાં આવે છે. એટલે તંત્ર એ ધર્મશાસ્ત્રના મર્મને વિશેષ પ્રકાશ કરનારું તથા મંત્રશાસ્ત્રની પૂર્તિ કરનારું એક ઉત્તરશાસ્ત્ર છે, એમ કહેવામાં આપણે સત્યની કઈ પરિસીમા ઓળંગતા નથી. અહીં કોઈ એમ કહેતું હોય કે “તંત્રશાસ્ત્રમાં તે બીજા અનેક વિષયે આવે છે, જેમકે વનસ્પતિના પ્રાગે, રસરસાયણના પ્રયે, ચમત્કારિક વસ્તુઓનું સાજન વગેરે, તેનું કેમ?” તે એ બધા વિષયે મંત્રસિદ્ધિ અને પ્રકટેલા છે અને તેથી મંત્રશાસ્ત્રને જ એક ભાગ છે, એમ સમજવું જોઈએ. ધર્મની ચર્ચા કરતાં આત્માને વિષય આવે છે અને આત્માને વિષય ચર્ચતાં કર્મને વિષય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66