Book Title: Tantronu Taran
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 11
________________ તંત્રોનું તારણ અહીં એ સ્પષ્ટતા કરવી જરૂરી છે કે જેનો આપ્તવચન એટલે શ્રી જિનેશ્વર દેવનાં મુખમાંથી જે વાણી નીકળી તેના સંગ્રહને આગમ કહે છે અને શાકતો જે વાણી શિવનાં મુખમાંથી નીકળી તેને આગમ કહે છે. જેમકે– __ आगतं शिववक्त्रेभ्यो, गतं च गिरिजाहृदि ।। मतं च वासुदेवेन, आगमस्तेन उच्यते ॥ જે શિવજીનાં મુખમાંથી બહાર આવ્યું હોય, જે પાર્વતીનાં હદયમાં પ્રવેશેલું હોય અને જેને વાસુદેવે માન્ય રાખેલું હોય, તે આગમ કહેવાય છે.” તાત્પર્ય કે શંકરે પાર્વતી સાથેના સંવાદરૂપે જે ગ્રંથને ઉપદેશ કર્યો અને જેને ઘણાએ માન્ય કર્યો, તે આ જગતમાં “આગમ” શબ્દથી ઓળખાયા. જૈનાગમોના અંગ, ઉપાંગ, પ્રકીર્ણક, છેદસૂત્ર વગેરે વિભાગે છે, તેમ આ આગમેના પણ યામલ, ડામર, સંહિતા વગેરે વિભાગે છે. પરંતુ બંનેને પ્રતિપાદ્ય વિષય જૂદ છે અને તે આપણે ખાસ લક્ષમાં રાખવાનું છે. જૈન તંત્રે કે કલ્પગ્ર જૈનાગમમાં તત્વની જે પ્રરૂપણા કરી છે, તેને માન્ય રાખીને મંત્રાદિ વિયનું વર્ણન કરનારા છે, જ્યારે શાક્તતંત્રે વૈદિક વિધિ સામેના બળવારૂપ છે અને તે પોતાની રીતે જ તત્ત્વનું અર્થાત્ શક્તિનું વર્ણન કરનારા છે. તે અંગે શાક્તગ્રંથ મહાનિર્વાણતંત્રના નીચેના શબ્દો સાંભળેઃ कलिकल्मषादीनानां द्विजादिनां सुरेश्वरि । मेध्यामेध्याविचाराणां न शुद्धिः श्रौतकर्मणा ॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66