Book Title: Tantronu Taran
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 6
________________ છે છે હૂ અર્ણ નમઃ | તંત્રોનું તારણ ૧–પ્રાસ્તાવિક દીર્ઘ સ્વાધ્યાય અને લાંબા સમયના અનુભવ પરથી એમ જણાયું છે કે તંત્રને વિષય અતિ ઉપયોગી છે, પરંતુ વર્તમાન સમયમાં તેના વિષે ઘણું ગેરસમજૂતી ફેલાચેલી છે અને તેથી તેના પ્રત્યે ભારે ઉપેક્ષા સેવાઈ રહી છે. આ સ્થિતિનું કંઈક નિવારણ થાય એ હેતુથી અમે પ્રસ્તુત નિબંધનું આલેખન કર્યું છે. અહીં એ જણાવવું જરૂરનું છે કે શિક્ષાવલીના પાઠકેને મંત્ર-યંત્ર-તંત્રને વાસ્તવિક પરિચય આપવાને અમારે મને રથ હતું, તેથી પ્રથમ શ્રેણમાં અમે મંત્રસાધન નામને નિબંધ લખી મંત્રને પરિચય કરાવ્યું, બીજી શ્રણમાં કેટલાક યંત્રો” નામને નિબંધ લખી યંત્રને પરિચય કરાવ્યું અને તેના અનુસંધાનમાં ત્રીજી શ્રેણીમાં તંત્રોનું તારણ”નામને આ નિબંધ લખાય છે એટલે વિષયને સારી રીતે સમજવા ઈચ્છનારે પૂર્વના બંને નિબંધનું પુનઃ અવલોકન કરી લેવું જરૂરનું છે. જે કઈ પાઠક તરફથી એ પ્રશ્ન પૂછવામાં આવતું હોય કે આ નિબંધનું નામ “તંત્રોનું તારણ એવું શા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 66