________________
८३
स्थानांगसूत्र
વળી પુદ્ગલ બે પ્રકારે છે. (૧) પરમાણુ, (૨) સ્કન્ધ. (૧) પરમાણુ - સ્કંધથી છૂટો પડેલો પુદ્ગલ દ્રવ્યનો નિવિભાગ અંશ તે પરમાણુ પુદ્ગલ છે. (૨) સ્કન્ધ :- ભેગા મળેલા પરમાણુઓનો સમુદાય તે સ્કન્ધ પુદ્ગલ છે. વળી પગલો બે પ્રકારે છે. (૧) સૂક્ષ્મ, (૨) બાદર.
(૧) સૂક્ષ્મ - સૂક્ષ્મ પરિણામથી પરિણત ચાર સ્પર્શવાળા પુદ્ગલો તે સૂક્ષ્મ પુદ્ગલ કહેવાય છે.
(૨) બાદર – બાદર પરિણામથી પરિણત આઠ સ્પર્શી પુદ્ગલો તે બાદર પુદ્ગલ કહેવાય છે. વળી પુદ્ગલ બે પ્રકારે છે. (૧) બદ્ધપાર્શ્વસ્કૃષ્ટ, (૨) નોબદ્ધપાર્શ્વધૃષ્ટ.
(૧) બદ્ધપાર્શ્વસૃષ્ટ :- શરીરની ચામડીની રજની જેમ સ્પર્શાવેલા તે પાર્થસ્પષ્ટ. બદ્ધ એટલે શરીરમાં પાણીની જેમ અતિ મળેલા-સ્પર્શાવેલ અને સંબદ્ધ. સારી રીતે મજબૂત બંધાયેલા તે બદ્ધપાર્શ્વસ્કૃષ્ટ પુદ્ગલ કહેવાય છે.
(૨) નોબદ્ધપાર્શ્વધૃષ્ટ - માત્ર સ્પર્શ કરાયેલા તે નોબદ્ધપાર્થસ્પષ્ટ પુદ્ગલ કહેવાય છે. વળી પુદ્ગલ બે પ્રકારે છે. (૧) જીવાત્ત, (૨) જીવાનાર. (૧) જીવાત્ત - જીવો દ્વારા પરિણત પુદ્ગલ તે જીવાત્ત પુદ્ગલ કહેવાય છે. (ર) જીવાનાત્ત - જીવો દ્વારા અપરિણત પુદ્ગલ તે જીવાનાર પુદ્ગલ કહેવાય છે.
ઇષ્ટ - વ્હાલા, પ્રયોજન અથવા મનોરથને પૂર્ણ કરી શકે તેવા અભિલષિત પુદ્ગલોને ઈષ્ટ પુદ્ગલ કહેવાય છે.
અનિષ્ટ :- કોઈ પણ કાર્ય માટે ઇષ્ટ ન હોય તેવા પુદ્ગલો અનિષ્ટ પુદ્ગલ કહેવાય છે. વળી પુદ્ગલો બે પ્રકારે છે. (૧) કાન્ત, (૨) અકાન્ત.
(૧) કાન્ત - હંમેશા સુંદરભાવ વડે કાંતિવાળા, વિશિષ્ટ વર્ણાદિથી સુંદર પુગલોને કાન્ત પુદ્ગલો કહેવાય છે.
(૨) અકાન્ત - અસુંદર પુદ્ગલો. વળી પુદ્ગલો બે પ્રકારે છે. (૧) પ્રિય, (૨) અપ્રિય.
(૧) પ્રિય - પ્રતિકર. ઈન્દ્રિયોને આફ્લાદિત કરનાર, સર્વને દ્વેષ કરવા યોગ્ય નહીં તેવા પુદ્ગલો તે પ્રિય પુદ્ગલો છે.
(૨) અપ્રિય - અપ્રીતિકર. ઈન્દ્રિયોને આનંદ ન આપે તેવા પુદ્ગલો. વળી પુદ્ગલ બે પ્રકારે છે. (૧) મનોજ્ઞ, (ર) અમનોજ્ઞ. (૧) મનોજ્ઞ - મનને હિતકારી કથન વડે પણ મનને રમાડનાર.