Book Title: Sutrarth Muktavali Part 02
Author(s): Vijaylabdhisuri, Vikramsenvijay Gani
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 489
________________ समवायांगसूत्र ४८३ એવા આચારાંગાદિ સૂત્રોને ઉગ્વાડા પોરિસી એટલે પ્રથમ પોરિસી સુધી ભણવું. કાલિક સૂત્રો માટે દિવસનો અને રાત્રિનો પ્રથમ અને અંતિમ પ્રહર છોડી બાકી બધો અકાલ છે. અકાલનો સ્વાધ્યાય કરનારો (આ ૧૪મું અસમાધિસ્થાન છે) સરજસ્કપાણિપાદ :- જે સચિત્તરજંથી ખરડાયેલ હાથવાળા પાસેથી ભિક્ષા ગ્રહણ કરે છે. તેમજ સ્થંડિલ વગેરે ભૂમિમાં જતો પગ વગેરેને પુંજતો નથી અથવા તેવા પ્રકારના કારણો હોતે છતે જે સચિત્ત પૃથ્વી ઉપર કલ્પ (ઉનના આસન) વગેરેથી આવરિત કર્યા વિના જ આસન (બેસવાનું) કરે છે. તે આમ કરતો સંયમમાં પોતાના આત્માને અસમાધિમાં જોડે છે (આ ૧૫મું અસમાધિસ્થાન છે) કલહકર :- જેના દ્વારા કલહ વગેરે થાય એવા આક્રોશ વગેરે જે કરે તે કલહકર છે. (આ ૧૬મું અસમાધિસ્થાન છે) શબ્દકર :- સૂતા પછી એકાદ પ્રહર બાદ રાત્રે મોટા શબ્દોથી વાર્તાલાપ અને સ્વાધ્યાય કરનારો, અથવા ગૃહસ્થની ભાષા બોલનારો અથવા વેરત્તિકાલ ગ્રહણ કરતો મોટા શબ્દોથી બોલે તે શબ્દકર કહેવાય (આ ૧૭મું અસમાધિસ્થાન છે) -- ભેદકર :- જે ક૨વાથી ગચ્છની અંદર ભેદ ઉત્પન્ન થાય, મનમાં દુઃખ ઉત્પન્ન થાય તેવું બોલે તે ભેદકર કહેવાય (આ ૧૮મું અસમાધિસ્થાન છે) સૂરપ્રમાણભોજી :- સૂર્યોદયથી માંડી અસ્તના સમય સુધી અશન પાન વાપરનારો, ઉચિત સમયે પણ સ્વાધ્યાય વગેરે નથી કરતો, પ્રેરણા કરતા ગુસ્સે થાય છે અને અજીર્ણમાં પણ ઘણો આહાર વાપરવામાં અસમાધિ વગેરે દોષ થાય છે. (આ ૧૯મું અસમાધિસ્થાન છે) એષણાઅસમિત :- એષણામાં જોડાયો હોવા છતાં પણ વિવિધ પ્રકારની એષણા નથી કરતો, એ બાબતમાં પ્રેરણા કરનારની સાથે ઝગડો કરે છે અને અનેષણીય વસ્તુને નહી પરિહરતો, જીવને પીડા પહોંચાડવામાં એ વર્તતો. આમ પોતાને-બીજાને અસમાધિ કરવા દ્વારા આ પણ અસમાધિસ્થાન છે (આ ૨૦મું અસમાધિસ્થાન છે) ૧૭ણા असमाधिमान् शबलो भवतीति शबलानाह हस्तकर्ममैथुनरात्रिभोजनाधाकर्मराजपिण्डक्रितादिपुनःपुनःप्रत्याख्यातभुग्गणान्तर सङ्क्रमणत्र्यधिकोदकलेपकृन्मायास्थानत्रयकृत्सागारिकपिण्डभुगाकुट्टिप्राणातिपातमृषावादादत्तादानकृदनन्तरितसचित्तपृथिव्युपयोगबीजादिमत्स्थितिमूलादिभुक्दशोदकलेप कृद्दशमायास्थानकृच्छीतोदकव्याप्तपाणिदत्ताहारभोजिनः शबलाः ॥१८॥ हस्तकर्मेति, यैः क्रियाविशेषैर्निमित्तभूतैश्चारित्रं कर्बुरं भवति तेद्योगात्साधवोऽपि शबला इति व्यपदिश्यन्ते ते एवं हस्तकर्म - वेदविकारविशेषमुपशमं कुर्वन कारयन्ननुजानन् वा शबलो

Loading...

Page Navigation
1 ... 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586