Book Title: Shravakna Bar Vratona Vikalpo
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 26
________________ ૧. [ નિપ્રયોજન અધિક મુસાફરી પણ એક પ્રકારનો રોગ છે. નિયમિત કરેલા. ક્ષેત્ર સિવાયના ચૌદ રાજલોકમાં જવા-આવવાનું બંધ થવાથી તેને લગતા દોષો લાગતા નથી અને ઘણા ત્ર-સ્થાવર જીવોને અભયદાન અપાય છે. લોભરૂપી સમુદ્રની મર્યાદા થાય છે. મનની વૃત્તિ સંતોષી અને આત્માભિમુખ રહે છે. આ જાણીને શકય એટલું બાહ્ય દિશાગમન નિવારવું અને જ્ઞાન આદિ ઉપયોગે આત્માની અત્યંતર દિશામાં વિચરવાનું વધારે લક્ષ્ય રાખવું. ( અતિચાર ઊર્ધ્વદિક્પરિમાણાતિક્રમ - અનાભોગ આદિથી મર્યાદા કરતાં વધારે ઊંચે જવું તે. અધોદિફપરિમાણાતિક્રમ - અનાભોગ આદિથી મર્યાદા કરતાં વધારે નીચે જવું તે. તિર્યગદિક્પરિમાણાતિક્રમ - અનાભોગ આદિથી મર્યાદા કરતાં વધારે દિશા-વિદિશામાં જવું તે. ક્ષેત્રવૃદ્ધિ - એક દિશામાં ખાસ કામને અંગે પ્રમાણ કરતાં વધારે જવું પડે તેમ હોય ત્યારે ધારેલી એક દિશાનું પ્રમાણ ઘટાડીને બીજી દિશાનું પ્રમાણ સ્વેચ્છાએ વધારવું તે. ૫. સ્મૃતિઅંતર્ધાન - રાખેલું પ્રમાણ ભૂલી જવું અને શંકા થવા છતાં પણ મર્યાદાથી વધુ આગળ જવું તે. આ વ્રતના આ અતિચારોનો ત્યાગ કરવો. (વિશેષ નોંધ) 3. ૧૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74