Book Title: Shravakna Bar Vratona Vikalpo
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 46
________________ ૧૦. ( ૧૧. નિરર્થક વિવાહ / ધંધા/સાંસારિક કાર્યોમાં સલાહ આપીશ નહિ. વર્તમાનકાળમાં નાસ્તિકતા પોષક અને મહાહિંસક શિક્ષણ અને વિજ્ઞાન આદિ અનેક વસ્તુઓના વખાણ કરીશ નહિ. ૧૨. ક્રીડા ખાતર કૂતરાં, બિલાડા વગેરે હિંસક પ્રાણીઓ લડાવવા નહિ કે પાળવા નહિ. ૧૩. ઘરકાર્ય તથા સ્વ-જાનમાલનું રક્ષણ આદિ હેતુ વિના શસ્ત્ર-સરંજામ ન રાખવા. જો તે રાખેલા હોય તો કોઇને આપવા નહિ અને જયાં ત્યાં રખડતા મૂકવા કે ભૂલી જવા નહિ. ૧૪. કોઇની નિંદા અને સાતવિકથાઓ કરવી નહિ. (સ્ત્રીકથા, દેશકથા, રાજકથા, ભોજનકથા, શ્રદ્ધાભેદિની-કોઇની શ્રદ્ધા પડી જાય તેવી, ચારિત્રભેદિની-ચારિત્રમાંથી પડી જાય તેવી અને મૂદુકારુણિકી-શોક સંતાપ થાય તેવી; આ સાત પ્રકારની વાર્તાઓ ખોટા રાગ-દ્વેષ અને પતિત પરિણામને પેદા કરનાર હોવાથી ના કરવી.) તેમજ અતિનિદ્રા વગેરે પણ કરવી નહિ. ૧૫. ખોટી સલાહો આપી કોઇને લડાવવા નહિ. પૂરક નિયમો) ૧. શ્રી જિનભવનમાં વિકાસ, હાસ્ય, ઘૂંકવું, નિદ્રા, કજીયો, સાંસારિક વાતો, ચતુર્વિઘ આહાર આદિ આશાતનાઓ કરવી નહિ. ઇત્યાદિ. ખરાબ વિચાર ન કરવા. પાપનો ઉપદેશ ન આપવો. શસ્ત્ર, અગ્નિ વગેરે હિંસક સાધનો કોઇને આપવાં નહિ. અવાજ કરી કોઇને ઉઠાડવા વગેરે પ્રકારના પ્રમાદાચરણ પણ કરવા નહિ. ( જયણા ] ઘરકામ, વ્યાપાર સંબંધ અને દાક્ષિણ્યતાથી આપવું લેવું પડે તથા માનસિક ચંચળતા વગેરે કારણથી આર્તધ્યાન આદિ અશુભ ધ્યાન થાય તેની જયણા. દ છ થી ૩૯ Jain Education International For Personal & Private Use Only For Personal & Private Use Only www.jainelibrary.org www.jaine

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74