Book Title: Shravakna Bar Vratona Vikalpo
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga

Previous | Next

Page 53
________________ % - ૧૧. પૌષધવ્રત ) 'गृहिणोऽपि हि धन्यास्ते, पुण्यं ये पौषधव्रतम् । दुष्पालं पालयन्त्येव, यथा स चुलनीपिता ।। ८६ ।।'' યો. શાં, ત્રિ . પ્ર. તે ગૃહસ્થો ધન્ય છે કે જે દુષ્પાલ્ય એવા પૌષધવ્રતને પાળે છે, જેમાં ચુલનીપિતાએ પાળ્યું. ( સ્વરૂપ છે ધર્મની પુષ્ટિ કરે તે પૌષધ. તેના ચાર પ્રકાર છે. (૧) આહાર પૌષધ - તે દેશથી અને સર્વથી છે. દેશથી, એટલે એકાસણું, નીવિ, આયંબિલ, તિવિહારઉપવાસ સહિત દિવસ કે રાત્રીનો પૌષધ અને સર્વથી એટલે ચોવિહાર ઉપવાસ અને આઠ પ્રહરનો પૌષધ. શરીરસત્કાર પૌષધ - સર્વથી સ્નાન વિલેપનાદિ શોભા કરવી નહિ. બ્રહ્મચર્ય પૌષધ - સર્વથી બ્રહ્મચર્ય પાળવું.. (૪) અવ્યાપાર પૌષધ - સાંસારિક વ્યાપારાદિ કરવાનો સર્વથા ત્યાગ. વિકલ્પ છે (૧) જીવનભર, દર વર્ષે પૌષધ કરીશ. _ વર્ષ દર વર્ષે _ પૌષધ કરીશ પૂિરક નિયમો પૌષધમાં દિવસે સૂવું નહિ, રાત્રે પણ અમુક કલાકથી વધારે સૂવું નહિ, પૂજવા-પ્રમાર્જવાનો, બોલતાં મુહપત્તિનો ખાસ ઉપયોગ રાખવો. (૨) સંથારામાં સંથારા ઉત્તરપટ્ટા સિવાયની વસ્તુ શરીરની સુખશીલતા માટે વાપરવી નહિ. (૩) દિવસના સ્વાધ્યાય,કાઉસ્સગ્ગ, નવકારવાળી ગણવી તથા મીના રાખવું. (૪) પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિમાં સતત પ્રયત્નશીલ રહેવું. જુદ છે : ૪૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74