Book Title: Shravakna Bar Vratona Vikalpo
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 66
________________ કાયાશુદ્ધિ કરીને તેઓ પુષ્પાદિ વિધિથી ઘરદેરાસરમાં પ્રાતઃપૂજા કરતા હતા. પછી - તેઓ યથાશકિત પચ્ચખાણ કરતા હતા. પછી - * શ્રી ત્રિભુવનપાલ વિહારમાં જઇ ૭૨ સામન્તો આદિ સાથે તેઓ શ્રી અષ્ટપ્રકારી જિનપૂજા કરતા હતા. પછી - તેઓ શ્રી ગુરુ પૂજા કરતા હતા અને ગુરુવંદન કરીને પચ્ચખાણ પ્રકાશતા હતા. પછી - પૂજય ગુરુ મહારાજ પાસે પરલોક સુખાવહ શ્રી ધર્મકથાનું શ્રવણ કરતા હતા. પછી - સ્વ સ્થાને આવી લોકોની તેઓ અરજીઓ સાંભળતા હતા. પછીનૈવેદ્યના થાળ ધરી તેઓ ગૃહચેત્યોની પુનઃ પૂજા કરતા હતા. પછીતેઓ સુશ્રાવક-સાધર્મિક ભાઇઓ સાથે સંવિભાગ કરી ઉચિત અનુકંપાદિ દાનપૂર્વક શુદ્ધ ભોજન કરતા હતા. પછીસભામાં જઇ તેઓ વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ વિચારતા હતા. પછીરાજસિંહાસને બેસીને સામંત, મંત્રી, માંડલિક, શ્રેષ્ઠી આદિ મહાજનોને તેઓ દર્શન આપતા હતા. પછી૧૨. તેઓ આઠમ ચૌદશ સિવાયના દિવસના આઠમા ભાગે સાંજનું ભોજન કરી લેતા હતા. પછી૧૩. સાંજે પુષ્પાદિ વિધિથી તેઓ ગૃહચૈત્યની પૂજા કરતા હતા. પછી૧૪. પૂજય શ્રી ગુરુ મહારાજ પાસે ઉપાશ્રયે જઇ તેઓ સામાયિક-પ્રતિક્રમણ કરતા હતા. પછી૧૫. પાટ ઉપર બેસીને તેઓ રાત્રિના આરતી-મંગલ દીવો કરાવતા હતા. પછી૧૬. શ્રી સ્થૂલભદ્રાદિ મહાપુરુષોનું સ્મરણ કરી, સર્વ જીવોને ખમાવી, તેઓ નમસ્કારપૂર્વક શાન્ત નિદ્રા કરતા હતા. . هی શ્રાદ્ધરત્ન શ્રી કુબેર શેઠની નિયમપોથી નિરપરાધી ત્રસ જીવને નિરપેક્ષપણે મારવાની બુદ્ધિથી હણીશ નહિ. પાપ રાખીને અથવા સામાનું ખરાબ કરવાની બુદ્ધિથી જુઠું બોલીશ નહિ.. २. पाप પ૯ _કી , Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74