Book Title: Shravakna Bar Vratona Vikalpo Author(s): Yugbhushanvijay Publisher: Gitarth GangaPage 48
________________ ( ૯. સામાયિક વ્રત ) ‘‘सामायिकव्रतस्थस्य, गृहिणोऽपि स्थिरात्मनः । चन्द्रवतंसकस्येव, क्षीयते कर्मसंचितम् ।। ८३ ।। યો. શા. ત્રિ . પ્ર. શ્લોક - ચંદ્રાવતંસક ની માફક સામાયિક વ્રતમાં રહેલા સ્થિરાત્મા ગૃહસ્થનો પણ કર્મસમૂહ ક્ષય પાસે છે. સામાયિક જીવ અને કર્મને છુટાં પાડનારી શલાકારૂપ છે. આથી ગૃહસ્થ વધારાનો જે સમય મળે અગર મેળવીને પણ તેનો ઉપયોગ સામાયિક સાધવામાં કરે. ( [ સ્વરૂપ ] સાવઘવ્યાપારનો ત્યાગ કરી વિરતિભાવને ધારણ કરવાની જે બે ઘડીના નિયમપૂર્વકની ઈરિયાવહી આદિ વિધિથી ક્રિયા કરવી તેનું નામ સામાયિક છે. તેમાં ચરવળો, મુહંપત્તિ, કટાસણું અને પહેરવાનું વસ્ત્ર આ ઉપકરણો અવશ્ય જોઇએ. તેની દ્રષ્ટિપડિલેહણા કરવી જોઇએ. સામાયિકમાં કાંડા ઘડીયાળ કે વાલની વીંટી વગેરે અલંકાર પહેરવા ન જોઇએ. ( વિકલ્પ ૧. રોજ _ _ સામાયિક કરવી. મહિનામાં સામાયિક કરવી. વર્ષમાં _ સામાયિક કરવી. જીવનપર્યતા _સામાયિક કરવી. પૂિરક નિયમો સાંજ-સવારના પ્રતિક્રમણ કરવું. સામાયિકમાં મૌન રહેવું, સ્વાધ્યાય કરવો, કાઉસ્સગ્ન અથવા નવકારવાળી ગણવી. ૩. માંદગી આદિ કારણ વિના ભીંત વગેરેનો ટેકો ન લેવો. ( જયણા ] અશકિત, માંદગી, ચિત્તની વિકળતા આદિ કારણે સામાયિક ના થાય અગર તેમાં પ્રમાદ થાય તેની જયણા. ૪૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74