Book Title: Shravaka Kavi Mansukhlal
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 57
________________ શ્રાવક કવિ મનસુખલાલ કાવ્યની રચના સંસ્કૃત ભાષાના કૂતવિલંબિત છંદમાં કરી છે. જૈન તત્ત્વજ્ઞાન ને નવપદની પૂજા દ્વારા લોકભોગ્ય બનાવવાનો સફળ પ્રયત્ન કર્યો છે. યશોવિજયજી, પદ્મવિજયજી અને આત્મારામજીની નવપદની પૂજાનો મિતાક્ષરી પરિચય ભૂમિકા રૂપે આપવામાં આવ્યો છે. કવિ મનસુખલાલની નવપદની પૂજા વિશેની કેટલીક માહિતી નીચે મુજબ છે : કવિ મનસુખલાલજીકૃત નવપદની પૂજા કવિ મનસુખલાલજીએ દાહોદ મુકામે સંવત ૧૯૬૪ના ફાગણ વદ ત્રીજને દિવસે નવપદની પૂજાની રચના કરી છે. તેનો ઉલ્લેખ પૂજાને અંતે કળશમાંથી ઉપલબ્ધ થાય છે. “દોહદ ઓગણીસ સોસઠ ફાલ્ગણ ધર્મ શુકલ મન આયો કૃષ્ણ ત્રીજ મન રંગ ઉલ્લાસ અનુભવ રસ ઉલસાયો રે. નવપદ / ૪ //” (નવ. પૂ, પા. ૩૪) નવપદની પૂજા રચવા માટેની પ્રેરણા આપનાર શ્રી કોદરભાઈ છગનલાલ હતા. કવિએ આ પૂજાની રચનાનો હેતુ જિનશાસનની ઉન્નતિ થાય અને શિવસુખ મળે તે હોવાનું જણાવ્યું છે. શાસન ઉન્નતિ અર્થે રચી મેં જનમન હર્ષ ઉપાયો, આતમ ભાવે વીરજ ફોરી મનસુખ શીવરસ પાયો રે. નવપદ // ૯ //” (નવ. પૂ, પા. ૩૪) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180