Book Title: Shravaka Kavi Mansukhlal
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora
View full book text
________________ લેખકનો પરિચય શાહ કવિનચંદ્ર માણેકલાલ (જન્મસ્થળ : વેજલપુર, જ.તા. 30-3-'36) અભ્યાસ : બી.એ. (ઓનર્સ), એમ.એ., બી.એ., ટી.ડી., એલએલ.એમ., પીએચ.ડી. ઈ.સ. ૧૯૫૫થી 1966 સુધી ગજેરા, ડેરોલ સ્ટેશન અને દેલોલ હાઈસ્કૂલમાં શિક્ષક. * ઈ.સ. ૧૯૬૬થી 1996 સુધી ભાદરણ, ખંભાત, કપડવણજ અને બીલીમોરા કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે સેવા કરીને હાલ નિવૃત્ત. હળવા નિબંધો, કાવ્ય, વાર્તા અને ધર્મ-સંસ્કૃતિવિષયક લેખો લખવાનો શોખ. જૈન સાહિત્યમાં સર્જન અને સંશોધનપ્રવૃત્તિ. જૈન સાહિત્યમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કર્યા બદલ ‘યશોભૂમિ સ્મારક ચંદ્રક વિજેતા. (કવિપંડિત વીરવિજયજી : એક અધ્યયન). સાહિત્ય, સંસ્કૃતિ, શિક્ષણ, કાયદો અને સમાજસેવાનાં ક્ષેત્રોમાં અભિરુચિ અને સેવાકીય પ્રવૃત્તિઓમાં યોગદાન. * ઈ.સ. ૧૯૭૦ના સપ્ટે.થી 1972 સુધીનો રાા (અઢી) વર્ષનો અમેરિકાનો શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવાસ, એમ.એ. (૧૯૭૨-જૂન), નોર્થ-ઇસ્ટર્ન યુનિ. બોસ્ટન, હેલિસ્ટન, વેલેન્ડ, પ્રોવિડન્સ, સ્પ્રિંગફીલ્ડ, ફોલરીવર, વેસ્ટ ન્યૂટન, વોલ્વેમ, ફ્રેમિંગહામ, બરલિંગ્ટન, વૉશિંગ્ટન ડી.સી., ડેટ્રોઇટ, ફિલાડેલ્ફિયા, કેમ્બ્રિજ, ચેકપોર્ટ વગેરે સ્થળોમાં ભારતીય સંસ્કૃતિ અને ધર્મવિષયક વાર્તાલાપ. પ્રગટ કૃતિઓ : નેમિ વિવાહલો, કવિરાજ દીપવિજય, જૈન સાહિત્યની ગઝલો, શ્રાવક કવિ મનસુખલાલ (સંશોધનગ્રંથ), કવિપંડિત વીરવિજયજી : એક અધ્યયન (મહાનિબંધનો સંક્ષેપ), બિંબ-પ્રતિબિંબ (કાવ્યસંગ્રહ), લલ્લુની લીલા (હળવા નિબંધો). શ્રી વીશા નીમા જૈન સમસ્ત જ્ઞાતિમંડળ, વેજલપુર જૈન સંઘ, બીલીમોરા જૈન સંઘ, જૈન સોશ્યલ ગ્રુપ-બીલીમોરા, દક્ષિણ ગુજરાત યુનિ. પ્રાધ્યાપક મંડળ-સુરત, વી.એસ. પટેલ કૉલેજ-બીલીમોરા વગેરે સંસ્થાઓ દ્વારા સન્માનપત્ર-એવૉર્ડપ્રાપ્તિ. શાળા-કૉલેજ અને સેવાકીય ધાર્મિક અને સામાજિક સંસ્થાઓમાં પ્રસંગોચિત પ્રવચન અને વાર્તાલાપ. પત્ની અ.સૌ. કુસુમબહેન, કિરણ, અસ્તિ, કિંચિત્ (પુત્રો), (સ્વાતિ) શાશ્વતયશાશ્રીજી મ.સા. (પુત્રી). Education memational 20100 Forpuvate Personal use only www.janette
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/6f2f8a75ec995663bd97480da43d92016d4d6d546cca337b83cbde276615f9db.jpg)
Page Navigation
1 ... 178 179 180