________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેં પરભવે કે આ ભવે, પણ હિત કાંઈ કર્યું નહી તેથી કરી સંસારમાં, સુખ અલ્પ પણ પામ્યો નહીં જન્મો અમારા જિનજી ! ભવ પૂર્ણ કરવાને થયા, આવેલ બાજી હાથમાં, અજ્ઞાનથી હારી ગયા ૬
અમૃત ઝરે તુજ મુખરૂપી, ચન્દ્રથી તો પણ પ્રભુ, ભિંજાય નહિં મુજ મન અરેરે ! શું કરૂં હું તો વિભુ ! પત્થર થકી પણ કઠણ મારૂં, મન ખરે ક્યાંથી દ્રવે, કરટ સમા આ મન થકી, હું તો પ્રભુ હાર્યો હવે ૭
ભમતાં મહા સાગરે, પામ્યો પસાયે આપના, જે જ્ઞાન દર્શન ચરણરૂપી, રત્નત્રય દુષ્કર ઘણા, તે પણ ગયા પરમાદના, વશથી પ્રભુ કહું છું ખરૂં, કોની કને કિરતાર આ પોકાર હું જઈને કરૂં ૮
ઠગવા વિભુ આ વિશ્વને વૈરાગ્યના રંગો ધર્યા, ને ધર્મનો ઉપદેશ રંજન, લોકને કરવા કર્યા, વિદ્યા ભણ્યો હું વાદ માટે કેટલી કથની કહું ? સાધુ થઈને બહારથી, દાંભિક અંદરથી રહું ૯
મેં મુખને મેલું કર્યું, દોષો પરયા ગાઈને, ને નેત્રને નિંદિત કર્યા, પરનારીમાં લપટાઈને,
વળી ચિત્તને દોષિત કર્યું, ચિંતી નઠારૂં પરતણું, હે નાથ ! મારૂં શું થશે ? ચાલાક થઈ ચૂક્યો ઘણું. ૧૦
For Private And Personal Use Only
રત્નાકર પચ્ચીસી