Book Title: Shatrunjay Stavana
Author(s): Bhadrabahuvijay
Publisher: Fulchand Zaverchand Nahar Parivar

View full book text
Previous | Next

Page 30
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેં પરભવે કે આ ભવે, પણ હિત કાંઈ કર્યું નહી તેથી કરી સંસારમાં, સુખ અલ્પ પણ પામ્યો નહીં જન્મો અમારા જિનજી ! ભવ પૂર્ણ કરવાને થયા, આવેલ બાજી હાથમાં, અજ્ઞાનથી હારી ગયા ૬ અમૃત ઝરે તુજ મુખરૂપી, ચન્દ્રથી તો પણ પ્રભુ, ભિંજાય નહિં મુજ મન અરેરે ! શું કરૂં હું તો વિભુ ! પત્થર થકી પણ કઠણ મારૂં, મન ખરે ક્યાંથી દ્રવે, કરટ સમા આ મન થકી, હું તો પ્રભુ હાર્યો હવે ૭ ભમતાં મહા સાગરે, પામ્યો પસાયે આપના, જે જ્ઞાન દર્શન ચરણરૂપી, રત્નત્રય દુષ્કર ઘણા, તે પણ ગયા પરમાદના, વશથી પ્રભુ કહું છું ખરૂં, કોની કને કિરતાર આ પોકાર હું જઈને કરૂં ૮ ઠગવા વિભુ આ વિશ્વને વૈરાગ્યના રંગો ધર્યા, ને ધર્મનો ઉપદેશ રંજન, લોકને કરવા કર્યા, વિદ્યા ભણ્યો હું વાદ માટે કેટલી કથની કહું ? સાધુ થઈને બહારથી, દાંભિક અંદરથી રહું ૯ મેં મુખને મેલું કર્યું, દોષો પરયા ગાઈને, ને નેત્રને નિંદિત કર્યા, પરનારીમાં લપટાઈને, વળી ચિત્તને દોષિત કર્યું, ચિંતી નઠારૂં પરતણું, હે નાથ ! મારૂં શું થશે ? ચાલાક થઈ ચૂક્યો ઘણું. ૧૦ For Private And Personal Use Only રત્નાકર પચ્ચીસી

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106