Book Title: Shatrunjay Stavana
Author(s): Bhadrabahuvijay
Publisher: Fulchand Zaverchand Nahar Parivar

View full book text
Previous | Next

Page 33
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હું શુદ્ધ આચારો વડે, સાધુ હૃદયમાં નવ રહ્યો કરી કામ પર ઉપકારનાં યશ પણ ઉપાર્જન નવ કર્યો, વળી તીર્થના ઉદ્ધાર આદિ, કોઈ કાર્યો નવ કર્યા, ફોગટ અરે ! આ લક્ષ, ચોરાશી તણા ફેરા ફર્યા ૨૧ ગુરૂ વાણીમાં વૈરાગ્ય કેરો રંગ લાગ્યો નહિ મને દુર્જન તણાં વાક્યો મહીં, શાંતિ મળે ક્યાંથી મને ? તરૂં કેમ હું સંસાર આ અધ્યાત્મ તો છે નહિ જરી, તુટેલ તળીયાનો ઘડો જળથી ભરાયે કેમ કરી ? ૨૨ મેં પરભવે નથી પુણ્ય કીધું, ને નથી કરતો હજી, તો આવતાં ભવમાં કહો, ક્યાંથી થશે કે નાથજી ! ભૂત ભાવિને સાંપ્રત ત્રણે, ભવ નાથ હું હારી ગયો સ્વામી ત્રિશંકું જેમ હું આકાશમાં લટકી રહ્યો ૨૩ અથવા નકામું આપ પાસે, નાથ શું બકવું ઘણું ? હે દેવતાના પૂજ્ય ! આ ચારિત્ર મુજ પોતા તણું, જાણો સ્વરૂપ ત્રણ લોકનું, તો માહરૂં શું માત્ર આ જ્યાં ક્રોડનો હિસાબ નહિ ત્યાં, પાઈની તો વાત ક્યાં ? ૨૪ હરાથી ન સમર્થ અન્ય દીનનો ઉધ્ધારનારો પ્રભુ, મરાથી નહિ અન્ય પાત્ર જગમાં, જોતાં જડે હે વિભુ ! મુક્તિ મંગળસ્થાન ! તોય મુજને, ઈચ્છા ન લક્ષ્મીતણી; આપો સમ્યગૂરત્ન શ્યામ જીવને; તો તૃપ્તિ થાયે ઘણી ૨૫ શત્રુંજય સ્તવના For Private And Personal Use Only ૨૯

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106