________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫. ફાગણ સુદ-૧૩
છેફાગણ સુદ-૧૫
૭. ફાગણ વદ-૮
-
૮. ચૈત્ર સુદ-૧૫
૯. વૈશાખ સુદ-૩
શ્રી કૃષ્ણ વાસુદેવના પુત્ર શામ્બ અને પ્રદ્યુમ્ન સાડી આઠ ક્રોડ મુનિ સાથે આ તીર્થના ભાડવા ડુંગરવાળા ભાગમાં સિદ્ધિ પામ્યા. શ્રી ઋષભદેવ ભગવાનના મુખ્ય ગણધર શ્રી પુંડરીકસ્વામીએ પાંચ ક્રોડ મુનિ સાથે આ તિથિએ અણસણ કર્યું. શ્રી ઋષભદેવ ભગવાનના જન્મ તથા દીક્ષા કલ્યાણક છે. તેમ જ વર્ષીતપની શરૂઆત પણ આ દિવસથી જ કરાય છે. શ્રી પુંડરીક ગણધર પાંચ ક્રોડ મુનિવરો સાથે સિદ્ધપદ પામ્યા. શ્રી ઋષભદેવ ભગવંતે એ તિથિએ વર્ષીતપનું પારણું શ્રેયાંસકુમારના હાથે હસ્તિનાપુરમાં કર્યું હતું, આ કારણે આજે પણ વર્ષીતપના પારણાં પાલીતાણામાં સિદ્ધગિરિની યાત્રા કરી, શેરડીના રસથી થાય છે. “શ્રેયાંસકુમાર જેવો ઊંચો ભાવ શ્રી ઋષભદેવ ભગવાન જેવું પાત્ર અને ઈશુરસ જેવું દાન-એવો ત્રિવેણી સંગમ જેવો પવિત્ર દિવસ તે વૈશાખ સુદ-૩.” સંવત ૧૫૮૭ માં શત્રુંજય ગિરિરાજનો સોળમો ઉદ્ધાર કરાવનાર કર્માશાહે વર્તમાન મૂલનાયક શ્રી ઋષભદેવની પ્રતિષ્ઠા આ તિથિએ કરી છે, જેથી આ દિવસ શત્રુંજયની વર્ષગાંઠ તરીકે ઉજવાય છે.
૧૦. વૈશાખ વદ-૬
Eા શત્રુંજય સ્તવના
૯૧
For Private And Personal Use Only