________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૫૦.
સમયસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
यथा हि कश्चित्पुरुषोऽर्थार्थी प्रयत्नेन प्रथममेव राजानं जानीते, ततस्तमेव श्रद्धत्ते, ततस्तमेवानुचरति, तथात्मना मोक्षार्थिना प्रथममेवात्मा ज्ञातव्यः, ततः स एव श्रद्धातव्यः, ततः स एवानुचरितव्यश्च , साध्यसिद्धेस्तथान्यथोपपत्त्यनुपपत्तिभ्याम्।
तत्र यदात्मनोऽनुभूयमानानेकभावसङ्करेऽपि परमविवेककौशलेनायमहमनुभूतिरित्यात्मज्ञानेन सङ्गच्छमानमेव तथेतिप्रत्ययलक्षणं श्रद्धानमुत्प्लवते तदा समस्तभावान्तरविवेकेन निःशङ्कमवस्थातुं शक्यत्वादात्मानु-चरणमुत्लवमानमात्मानं साधयतीति साध्यसिद्धेस्तथोपपत्तिः।
[તત: પુન:] ત્યાર બાદ [તું પ્રયત્નન અનુવરતિ] તેનું પ્રયત્નપૂર્વક અનુચરણ કરે છે અર્થાત્ તેની સુંદર રીતે સેવા કરે છે, [ દિ] એવી જ રીતે [ મોક્ષામેન] મોક્ષની ઈચ્છાવાળાએ [ નીવરીન:] જીવરૂપી રાજાને [ જ્ઞાતવ્ય:] જાણવો, [પુન: ] પછી [તથા
4] એ રીતે જ [શ્રદ્ધાંતવ્ય:] તેનું શ્રદ્ધાન કરવું [તુ વ] અને ત્યાર બાદ [સ વ. અનુવારિતવ્ય: ] તેનું જ અનુચરણ કરવું અર્થાત્ અનુભવ વડ તન્મય થઈ જવું.
ટીકા- નિશ્ચયથી જેમ કોઈ ધન-અર્થી પુરુષ બહુ ઉદ્યમથી પ્રથમ તો રાજાને જાણે કે આ રાજા છે, પછી તેનું જ શ્રદ્ધાન કરે કે “આ અવશ્ય રાજા જ છે, તેનું સેવન કરવાથી અવશ્ય ધનની પ્રાપ્તિ થશે અને ત્યાર પછી જ તેનું જ અનુચરણ કરે, સેવન કરે, આજ્ઞામાં રહે, તેને પ્રસન્ન કરે તેવી રીતે મોક્ષાર્થી પુરુષે પ્રથમ તો આત્માને જાણવો, પછી તેનું જ શ્રદ્ધાન કરવું કે “આ જ આત્મા છે, તેનું આચરણ કરવાથી અવશ્ય કર્મોથી છૂટી શકાશે અને ત્યાર પછી તેનું જ આચરણ કરવું અનુભવ વડ તેમાં લીન થવું; કારણ કે સાધ્ય જે નિષ્કર્મ અવસ્થારૂપ અભેદ શુદ્ધસ્વરૂપ તેની સિદ્ધિની એ રીતે ઉપપત્તિ છે, અન્યથા અનુપપત્તિ છે ( અર્થાત્ સાધ્યની સિદ્ધિ એ રીતે થાય છે, બીજી રીતે થતી નથી).
(તે વાત વિશેષ સમજાવે છે - ) જ્યારે આત્માને, અનુભવમાં આવતા જે અનેક પર્યાયરૂપ ભેદભાવો તેમની સાથે મિશ્રિતપણું હોવા છતાં પણ સર્વ પ્રકારે ભેદજ્ઞાનમાં પ્રવીણપણાથી “આ અનુભૂતિ છે તે જ હું છું” એવા આત્મજ્ઞાનથી પ્રાપ્ત થતું, આ આત્મા જેવો જાણો તેવો જ છે એવી પ્રતીતિ જેનું લક્ષણ છે એવું, શ્રદ્ધાન ઉદય થાય છે ત્યારે સમસ્ત અન્યભાવોનો ભેદ થવાથી નિઃશંક ઠરવાને સમર્થ થવાને લીધે આત્માનું આચરણ ઉદય થતું આત્માને સાધે છે. આમ સાધ્ય આત્માની સિદ્ધિની એ રીતે ઉપપત્તિ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com