________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૫૮૭
કાનજૈનશાસ્ત્રમાળા ] સર્વવિશુદ્ધશાન અધિકાર
ववहारिओ पुण णओ दोण्णि वि लिंगाणि भणदि मोक्खपहे। णिच्छयणओ ण इच्छदि मोक्खपहे सव्वलिंगाणि।। ४१४ ।।
व्यावहारिक: पुनर्नयो द्वे अपि लिङ्गे भणति मोक्षपथे। निश्चयनयो नेच्छति मोक्षपथे सर्वलिङ्गानि।। ४१४ ।।
यः खलु श्रमणश्रमणोपासकभेदेन द्विविधं द्रव्यलिङ्गं भवति मोक्षमार्ग इति प्ररूपणप्रकार: स केवलं व्यवहार एव, न परमार्थः, तस्य स्वयमशुद्धद्रव्यामुभवनात्मकत्वे सति परमार्थत्वाभावात; यदेव श्रमणश्रमणोपासकविकल्पातिक्रान्तं दृशिज्ञप्तिप्रवृत्तवृत्तिमात्रं शुद्धज्ञानमेवैकमिति निस्तुषसञ्चेतनं परमार्थः, तस्यैव स्वयं शुद्धद्रव्यानुभवनात्मकत्वे सति परमार्थत्वात्। ततो ये व्यवहारमेव परमार्थबुद्ध्या चेतयन्ते, ते समयसारमेव न सञ्चेतयन्ते; य एव परमार्थ परमार्थबुद्ध्या चेतयन्ते,
વ્યવહારનય જ મુનિલિંગને અને શ્રાવકલિંગને-એ બને લિંગોને મોક્ષમાર્ગ કહે છે, નિશ્ચયનય કોઈ લિંગને મોક્ષમાર્ગ કહેતો નથી –એમ હવે ગાથામાં કહે છે:
વ્યવહારનય એ ઉભય લિંગો મોક્ષપંથ વિષે કહે, નિશ્ચય નહીં માને કદી કો લિંગ મુક્તિપથ વિષે. ૪૧૪.
ગાથાર્થ:- [ વ્યાવહારિ: નય: પુન:] વ્યવહારનય [ તિરે ગરિ] બને લિંગોને [ મોક્ષપથે ભતિ] મોક્ષમાર્ગમાં કહે છે (અર્થાત્ વ્યવહારનય મુનિલિંગ તેમ જ ગૃહીલિંગને મોક્ષમાર્ગ કહે છે); [ નિશ્ચયનય:] નિશ્ચયનય [સર્વસિનિ] સર્વ લિંગોને (અર્થાત્ કોઈ પણ લિંગને) [ મોક્ષપથે ન રૂછતિ] મોક્ષમાર્ગમાં ગણતો નથી.
ટીકા-શ્રમણ અને શ્રમણોપાસકના ભેદે બે પ્રકારનાં દ્રવ્યલિંગો મોક્ષમાર્ગ છેએવો જે પ્રરૂપણ પ્રકાર (અર્થાત્ એવા પ્રકારની જે પ્રરૂપણા) તે કેવળ વ્યવહાર જ છે, પરમાર્થ નથી, કારણ કે તે (પ્રરૂપણા ) પોતે અશુદ્ધ દ્રવ્યના અનુભવનસ્વરૂપ હોવાથી તેને પરમાર્થપણાનો અભાવ છે; શ્રમણ અને શ્રમણોપાસકના ભેદોથી અતિક્રાંત, દર્શનશાનમાં પ્રવૃત્ત પરિતિમાત્ર (–માત્ર દર્શન-જ્ઞાનમાં પ્રવર્તેલી પરિણતિરૂપ) શુદ્ધ જ્ઞાન જ એક છે-એવું જે નિસ્તુપ (-નિર્મળ ) અનુભવન તે પરમાર્થ છે, કારણ કે તે (અનુભવન) પોતે શુદ્ધ દ્રવ્યના અનુભવનસ્વરૂપ હોવાથી તેને જ પરમાર્થપણું છે. માટે જેઓ વ્યવહારને જ પરમાર્થબુદ્ધિથી (–પરમાર્થ માનીને) અનુભવે છે, તેઓ સમયસારને જ નથી અનુભવતા; જેઓ પરમાર્થને પરમાર્થબુદ્ધિથી અનુભવે છે,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com