Book Title: Samaysara
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૬૦૨
સમયસાર
[ ભગવાન શ્રીકુંદકુંદ
(શાર્દૂત્વવિદિત). भिन्नक्षेत्रनिषण्णबोध्यनियतव्यापारनिष्ठ: सदा सीदत्येव बहिः पतन्तमभितः पश्यन्पुमांसं पशुः। स्वक्षेत्रास्तितया निरुद्धरभसः स्याद्वादवेदी पुनस्तिष्ठत्यात्मनिखातबोध्यनियतव्यापारशक्तिर्भवन्।। २५४ ।।
(પદ્રવ્યોમાં) સ્વદ્રવ્યના ભ્રમથી પરદ્રવ્યોમાં વિશ્રામ કરે છે; [ ચાવી તુ] અને સ્યાદવાદી તો, [ સમસ્તવસ્તુષ પરદ્રવ્યાત્મના નાસ્તિતાં નાન] સમસ્ત વસ્તુઓમાં પરદ્રવ્યસ્વરૂપે નાસ્તિત્વ જાણતો થકો, [ નિર્મનં–શુદ્ધ-વો–મહિના] જેનો શુદ્ધજ્ઞાનમહિમા નિર્મળ છે એવો વર્તતો થકો, [ સ્વદ્રવ્યમ્ વ શાશ્રયેત] સ્વદ્રવ્યનો જ આશ્રય કરે છે.
ભાવાર્થ-એકાંતવાદી આત્માને સર્વદ્રવ્યમય માનીને, આત્મામાં જે પરદ્રવ્યઅપેક્ષાએ નાસ્તિત્વ છે તેનો લોપ કરે છે, અને સ્યાદ્વાદી તો સર્વ પદાર્થોમાં પરદ્રવ્યઅપેક્ષાએ નાસ્તિત્વ માનીને નિજ દ્રવ્યમાં રમે છે.
આ પ્રમાણે પરદ્રવ્ય-અપેક્ષાથી નાસ્તિત્વનો (અસપણાનો ) ભંગ કહ્યો. ૨૫૩. (હવે સાતમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:-)
શ્લોકાર્થઃ- [પશુ: ] પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, [fમન–ક્ષેત્ર– નિષU–વોä–નિયત-વ્યાપાર–નિg:] ભિન્ન ક્ષેત્રમાં રહેલા શેયપદાર્થોમાં જે યજ્ઞાયક સંબંધરૂપ નિશ્ચિત વ્યાપાર તેમાં પ્રવર્તતો થકો, [પુમાંસમ્ મિત: વદિ: પતન્તમ્ પશ્યન] આત્માને સમસ્તપણે બહાર (પરક્ષેત્રમાં) પડતો દેખીને (-સ્વક્ષેત્રથી આત્માનું અસ્તિત્વ નહિ માનીને) [ સાં નીતિ ga] સદી નાશ પામે છે; [ ચીઠ્ઠીવેવી પુનઃ] અને સ્યાદ્વાદનો જાણનાર તો, [ સ્વક્ષેત્ર–સ્તિતયા વિરુદ્ધ-રમસ:] સ્વક્ષેત્રથી અસ્તિપણાને લીધે જેનો વેગ રોકાયેલો છે એવો થયો થકો (અર્થાત્ સ્વક્ષેત્રમાં વર્તતો થકો), [માત્મ– નિવાત–વોથ્ય-નિયત-વ્યાપાર–શ9િ: ભવન] આત્મામાં જ આકારરૂપ થયેલાં શેયોમાં નિશ્ચિત વ્યાપારની શક્તિવાળો થઈને, [ તિષતિ] ટકે છે-જીવે છે (–નષ્ટ થતો નથી).
ભાવાર્થ:-એકાંતવાદી ભિન્ન ક્ષેત્રમાં રહેલા જ્ઞય પદાર્થોને જાણવાના કાર્યમાં પ્રવર્તતાં આત્માને બહાર પડતો જ માનીને, (સ્વક્ષેત્રથી અસ્તિત્વ નહિ માનીને, ) પોતાને નષ્ટ કરે છે; અને સ્યાદ્વાદી તો, “પરક્ષેત્રમાં રહેલાં શેયોને જાણતાં પોતાના ક્ષેત્રમાં રહેલો આત્મા સ્વક્ષેત્રથી અસ્તિત્વ ધારે છે” એમ માનતો થકો ટકી રહે છે-નાશ પામતો નથી.
આ પ્રમાણે સ્વક્ષેત્રથી અસ્તિત્વનો ભંગ કહ્યો. ૨૫૪. (હવે આઠમા ભંગના કળશ રૂપે કાવ્ય કહેવામાં આવે છે:-)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Page Navigation
1 ... 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676