Book Title: Samaysara
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 646
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૬૧૨ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ अन्याक्रियमाणान्याकारकैकद्रव्यात्मिका अकार्यकारणत्वशक्ति: १४। परात्मनिमित्तकज्ञेयज्ञानाकारग्रहणग्राहणस्वभावरूपा परिणम्यपरिणामकत्वशक्ति: १५ । अन्यूनातिरिक्तस्वरूपनियतत्वरूपा त्यागोपादानशून्यत्वशक्ति: १६ । षट्स्थानपतितवृद्धिहानिपरिणतस्वरूपप्रतिष्ठत्वकारणविशिष्टगुणात्मिका अगुरुलघुत्वशक्ति: १७। क्रमाक्रमवृत्तवृत्तित्वलक्षणा ઉત્પાવ્યયઘુવત્વશ0િ: ૨૮ द्रव्यस्वभावभूतध्रौव्यव्ययोत्पादालिङ्गितसदृश-विसदृशरूपैकास्तित्वमात्रमयी। परिणामशक्तिः १९। कर्मबन्धव्यपगमव्यञ्जितसहज-स्पर्शादिशून्यात्मप्रदेशात्मिका अमूर्तत्वशक्ति: २०। सकलकर्मकृतज्ञातृत्वमात्रातिरिक्त કરાતું નથી અને અન્યને કરતું નથી એવા એક દ્રવ્યસ્વરૂપ અકાર્યકારણત્વશક્તિ, (જે અન્યનું કાર્ય નથી અને અન્યનું કારણ નથી એવું જે એક દ્રવ્ય તે-સ્વરૂપ અકાર્યકારણત્વશક્તિ.) ૧૪. પર અને પોતે જેમનાં નિમિત્ત છે એવા જ્ઞયાકારો તથા જ્ઞાનાકારોને ગ્રહણ કરવાના અને ગ્રહણ કરાવવાના સ્વભાવરૂપ પરિણમ્યપરિણામત્વશક્તિ. (પર જેમનાં કારણ છે એવા જ્ઞયાકારોને ગ્રહણ કરવાના અને પોતે જેમનું કારણ છે એવા જ્ઞાનાકારોને ગ્રહણ કરાવવાના સ્વભાવરૂપ પરિણમ્યપરિણામકત્વશક્તિ.) ૧૫. જે ઘટતું-વધતું નથી એવા સ્વરૂપમાં નિયતત્વરૂપ (નિશ્ચિતપણે જેમનું તેમ રહેવારૂપ-) ત્યાગોપાદાનશૂન્યત્વશક્તિ. ૧૬. પસ્થાનપતિત વૃદ્ધિહાનિરૂપે પરિણમતો, સ્વરૂપ-પ્રતિષ્ઠત્વના કારણરૂપ (-વસ્તુને સ્વરૂપમાં રહેવાના કારણરૂપ) એવો જે વિશિષ્ટ (–ખાસ) ગુણ તે-સ્વરૂપ અગુરુલઘુત્વશક્તિ. [આ પસ્થાનપતિત વૃદ્ધિાનિનું સ્વરૂપ “ગોમ્મસાર શાસ્ત્રમાંથી જાણવું. અવિભાગ પરિચ્છેદોની સંખ્યારૂપ પસ્થાનોમાં પડતી-સમાવેશ પામતી-વસ્તુસ્વભાવની વૃદ્ધિહાનિ જેનાથી (જે ગુણથી) થાય છે અને જે (ગુણ) વસ્તુને સ્વરૂપમાં ટકવાનું કારણ છે એવો કોઈ ગુણ આત્મામાં છે, તેને અગુરુલઘુત્વગુણ કહેવામાં આવે છે. આવી અગુસ્લઘુત્વશક્તિ પણ આત્મામાં છે.] ૧૭. ક્રમવૃત્તિરૂપ અને અક્રમવૃત્તિરૂપ વર્તન જેનું લક્ષણ છે એવી ઉત્પાદવ્યયધુવત્વશક્તિ. (ક્રમવૃત્તિરૂપ પર્યાય ઉત્પાદવ્યયરૂપ છે અને અક્રમવૃત્તિરૂપ ગુણ ધૃવત્વરૂપ છે.) ૧૮. દ્રવ્યના સ્વભાવભૂત ધ્રૌવ્ય-વ્યય-ઉત્પાદથી આલિંગિત (-સ્પર્શિત ), સદેશ અને વિદેશ જેનું રૂપ છે એવા એક અસ્તિત્વમાત્રમયી પરિણામશક્તિ. ૧૯. કર્મબંધના અભાવથી વ્યક્ત કરવામાં આવતા, સહજ, સ્પર્શદિશૂન્ય (-સ્પર્શ, રસ, ગંધ અને વર્ણથી રહિત ) એવા આત્મપ્રદેશોસ્વરૂપ અમૂર્તત્વશક્તિ. ૨૦. સમસ્ત, કર્મથી કરવામાં આવતા, જ્ઞાતૃત્વમાત્રથી જુદા જે પરિણામો તે પરિણામોના કરણના *ઉપરમસ્વરૂપ (તે પરિણામોના કરવાની નિવૃિત્તસ્વરૂપ) અકર્તૃત્વશક્તિ. (જે શક્તિથી આત્મા જ્ઞાતાપણા સિવાયના, કર્મથી કરવામાં આવતા પરિણામોનો કર્તા થતો * ઉપરમ = અટકવું તે; નિવૃતિ અંતર અભાવ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676