Book Title: Samaysara
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 647
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પરિશિષ્ટ ૬૧૩ परिणामकरणोपरमात्मिका अकर्तृत्वशक्ति: २१। सकलकर्मकृतज्ञातृत्वमात्रातिरिक्तपरिणामानुभवोपरमात्मिका अभोक्तृत्वशक्तिः २२। सकलकर्मोपरमप्रवृत्तात्मप्रदेशनैष्पन्द्यरूपा निष्क्रियत्वशक्ति: २३। आसंसारसंहरणविस्तरणलक्षितकिञ्चिदूनचरमशरीरपरिमाणावस्थितलोकाकाशसम्मितात्मावयवत्वलक्षणा नियतप्रदेशत्वशक्ति: २४ । सर्वशरीरैकस्वरूपात्मिका स्वधर्मव्यापकत्वशक्ति: २५। स्वपरसमानासमानसमानासमानत्रिविधभावधारणात्मिका साधारणासाधारणसाधारणासाधारणधर्मत्वशक्ति: २६ । विलक्षणानन्तस्वभावभाविकभावलक्षणा अनन्तधर्मत्वशक्ति: २७। तदतद्रूपमयत्वलक्षणा विरुद्धधर्मत्वशक्तिः २८। तद्रूपभवनरूपा तत्त्वशक्ति: २९। अतद्रूपभवनरूपा अतत्त्वशक्ति: ३०। अनेकपर्यायव्यापकैकद्रव्यमयत्वरूपा एकत्वशक्तिः રૂ૨ી દ્રવ્ય નથી, એવી અકર્તુત્વ નામની એક શક્તિ આત્મામાં છે.) ૨૧. સમસ્ત, કર્મથી કરવામાં આવતા, જ્ઞાતૃત્વમાત્રથી જુદા પરિણામોના અનુભવના (-ભોગવટાના) ઉપરમસ્વરૂપ અભોક્નત્વશક્તિ. ૨૨. સમસ્ત કર્મના ઉપરમથી પ્રવર્તતી આત્મપ્રદેશોની નિષ્પદતાસ્વરૂપ (-અકંપતાસ્વરૂપ) નિષ્કિયત્વશક્તિ. (સકળ કર્મનો અભાવ થાય ત્યારે પ્રદેશોનું કંપન મટી જાય છે માટે નિષ્ક્રિયત્નશક્તિ પણ આત્મામાં છે.) ૨૩. જે અનાદિ સંસારથી માંડીને સંકોચવિસ્તારથી લક્ષિત છે અને જે ચરમ શરીરના પરિમાણથી કાંઈક ઊણા પરિમાણે અવસ્થિત થાય છે એવું લોકાકાશના માપ જેટલા માપવાળું આત્મ-અવયવપણું જેનું લક્ષણ છે એવી નિયતપ્રદેશત્વશક્તિ. ( આત્માના લોકપરિમાણ અસંખ્ય પ્રદેશો નિયત જ છે. તે પ્રદેશો સંસાર-અવસ્થામાં સંકોચવિસ્તાર પામે છે અને મોક્ષ-અવસ્થામાં ચરમ શરીર કરતાં કાંઈક ઓછા પરિમાણે સ્થિત રહે છે.) ૨૪. સર્વ શરીરોમાં એક સ્વરૂપાત્મક એવી સ્વધર્મવ્યાપકત્વશક્તિ. (શરીરના ધર્મરૂપ ન થતાં પોતાના ધર્મોમાં વ્યાપવારૂપ શક્તિ તે સ્વધર્મવ્યાપકત્વશક્તિ.) ૨૫. સ્વ-પરના સમાન, અસમાન અને સમાનાસમાન એવા ત્રણ પ્રકારના ભાવોના ધારણસ્વરૂપ સાધારણ-અસાધારણસાધારણાસાધારણધર્મત્વશક્તિ. ર૬, વિલક્ષણ (-પરસ્પર ભિન્ન લક્ષણોવાળા) અનંત સ્વભાવોથી ભાવિત એવો એક ભાવ જેનું લક્ષણ છે એવી અનંતધર્મત્વશક્તિ. ૨૭. તરૂપમયપણું અને અતરૂપમયપણું જેનું લક્ષણ છે એવી વિરુદ્ધધર્મશક્તિ. ૨૮. તદરૂપ ભવનરૂપ એવી તત્ત્વશક્તિ. (તસ્વરૂપ હોવારૂપ અથવા તસ્વરૂપ પરિણમનરૂપ એવી તત્ત્વશક્તિ આત્મામાં છે. આ શક્તિથી ચેતન ચેતનપણે રહે છે-પરિણમે છે.) ૨૯. અતરૂપ ભવનરૂપ એવી અતત્ત્વશક્તિ. (તસ્વરૂપ ન હોવારૂપ અથવા તસ્વરૂપે નહિ પરિણમવારૂપ અતત્ત્વશક્તિ આત્મામાં છે. આ શક્તિથી ચેતન જડરૂપ થતો નથી.) ૩૦. અનેક પર્યાયોમાં વ્યાપક એવા એકદ્રવ્યમયપણારૂપ એકત્વશક્તિ. ૩૧. એક દ્રવ્યથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676