Book Title: Sajjanastuti Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 23
________________ ૧૦ સજ્જનસ્તુતિહાત્રિશિકા/બ્લોક-૭-૮ આપનાર છે. માટે ચંદ્રની શીતળતા સાથે સંતપુરુષની વાણીની શીતળતાની તુલના થાય નહિ. તથા તે વાણી સર્પ જેવા દુર્જનો સાથે ક્યારેય સંગ કરનાર નથી. વળી, ઇન્દ્રની સભામાં અમૃત છે, પણ તે સંસારના અંતનું કારણ બને તેવું નથી, ફક્ત દેહના આરોગ્યનું કારણ બને તેવું છે. જ્યારે સંતપુરુષની વાણીમાં તો કોઈક એવું અમૃત રહેલું છે, જેના કારણે યોગ્ય જીવોને તે વાણીની પ્રાપ્તિથી અમરભાવરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે. માટે સંતપુરુષોની વાણીમાં રહેલું અમૃત જગતમાં બીજે ક્યાંય નથી. IIછા શ્લોક - दुर्जनोद्यमतपर्तुपूर्तिजात्तापतः श्रुतलता क्षयं व्रजेत् । नो भवेद्यदि गुणाऽम्बुवर्षिणी, तत्र सज्जनकृपातपात्ययः ।।८।। અન્વયાર્થ કુર્જનોથમતપર્તિનાત્તાપતા =દુર્જનોના ઉદ્યમરૂપી ગ્રીષ્મઋતુની પૂર્તિથી ઉત્પન્ન થયેલ તાપથી શ્રુતતા=શ્રુતલતા ક્ષણં વ્રનેત્રક્ષયને પામે વિજો તત્ર ત્યાં દુર્જનોના શ્રમથી થતા શ્રુતલતાના નાશમાં જુડવુáળી ગુણરૂપી પાણી વરસાવનાર સજ્જનપતિપત્ય =સજ્જનની કૃપારૂપી વર્ષાઋતુ ન મ =ન થાય. ૮. શ્લોકાર્ધ : દુર્જનોના ઉધમરૂપી ગ્રીષ્મઋતુની પૂર્તિથી ઉત્પન્ન થયેલ તાપથી શ્રુતલતા ક્ષયને પામે, જો ત્યાં દુર્જનોના શ્રમથી થતા શ્રુતલતાના નાશમાં, ગુણરૂપી પાણીને વરસાવનાર સજ્જનની કૃપારૂપી વર્ષાઋતુ ન થાય. ll ભાવાર્થ - ઉનાળાના તાપમાં વૃક્ષો બળીને ક્ષય પામે છે, અને ઉનાળા પછી ચોમાસાની ઋતુ ન આવે, તો તો તે વૃક્ષો અવશ્ય નાશ પામે, પરંતુ કુદરતની વ્યવસ્થા પ્રમાણે ઉનાળાના તાપ પછી વર્ષાઋતુ આવે છે જ જેથી વૃક્ષો નવપલ્લવિત થાય છે. તે રીતે દુર્જનો તત્ત્વને જોવાની દૃષ્ટિવાળા હોતા નથી, માત્ર આલોકના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68