Book Title: Sajjanastuti Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 34
________________ ૨૧ સજ્જનસ્તુતિદ્વાચિંશિકા/શ્લોક-૧૬ તથી તિએ પ્રમાણે સુર્બન હિતે= દુર્જન વડે કહેવાય છત, વાચવોપતિ=સ્વઅન્યની ઉપકૃતિ=સ્વ-અત્યનો ઉપકાર =અને નવા=લવી મતિ સ્મૃતિ થાય તિ=એ પ્રમાણે સર્જનનોવિત =સજ્જતની દષ્ટિનું કથન તા= અર્ગલા છે. ૧૬ શ્લોકાર્ચ - તોપણ પલિમંથમંથર એવી નવી રચનાથી=પૂર્વસૂરિઓની રચનાનું અધ્યયન કરવામાં પ્રમાદ કરાવનાર એવી નવી રચનાથી, અહીં-તત્ત્વની પ્રાપ્તિમાં શું સાધ્ય છે? અર્થાત્ કાંઈ સાધ્ય નથી, એ પ્રમાણે દુર્જનો વડે કહેવાય છતે સ્વ અન્યની ઉપકૃતિ=સ્વ-અ નો ઉપકાર અને નવી મતિ થાય, એ પ્રમાણે સજ્જનોની દષ્ટિનું કથન અર્ગલા છે. I૧૬ાાં ભાવાર્થ : પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે નવી શ્રુત રચનાથી પૂર્વપૂર્વતનસૂરિઓની હીલના થતી નથી. ત્યાં દુર્જન કહે છે કે તો પણ તમે જ્યાં જ્યાં નવી શ્રત રચના કરો છો, તેનાથી પૂર્વપૂર્વ સૂરિઓના ગ્રંથોની રચનામાં પલિમંથ પ્રાપ્ત થાય છે પૂર્વપૂર્વતન સૂરિઓના ગ્રંથને વાંચવાની પ્રવૃત્તિ બંધ થાય છે. તેથી તમારા ગ્રંથોની રચના પૂર્વસૂરિઓના ગ્રંથોના અધ્યયનની પ્રવૃત્તિમાં શિથિલતા કરનાર છે. તેથી તેવી નવી રચનાથી શું સાધ્ય છે ? અર્થાત્ “તે રચનાનું કોઈ ફળ નથી, પરંતુ યોગ્ય જીવોને પૂર્વસૂરિઓના ગ્રંથથી જે ઉપકાર થવાનો હતો, તેમાં વિપ્નભૂત એવી તમારી આ નવી રચના છે” એ પ્રકારનું દુર્જનનું વચન છે. ત્યાં ગ્રંથકારશ્રી કહે છે – સ્વઅન્યનો ઉપકાર અને નવી મતિની પ્રાપ્તિ એ નવી ગ્રંથરચનાનું પ્રયોજન છે, એ પ્રકારની સજ્જનની નય ઉક્તિ દુર્જનના વચનને અટકાવવા માટે અર્ગલા છે. આશય એ છે કે નવા ગ્રંથની રચના કરનાર મહાત્મા પૂર્વસૂરિઓનાં વચનોને યુક્તિથી અને અનુભવથી જોડીને નવી રચના કરે છે, તેથી પૂર્વસૂરિઓનાં વચનોનું શ્રવણ કર્યા પછી નવા ગ્રંથની રચનાકાળમાં પૂર્વસૂરિઓનાં વચનોનું મનન થાય છે, જેથી રચના કરનાર મહાત્માનું ચિત્ત પૂર્વસૂરિઓનાં વચનથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68