Book Title: Sajjanastuti Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 32
________________ સજ્જનસ્તુતિદ્વાચિંશિકા/શ્લોક-૧૪-૧૫ ૧૯ મંદ બુદ્ધિવાળા જીવોના ઉપકાર અર્થે નવાં શાસ્ત્રોની રચનાનો શ્રમ કરે છે. તેથી સંતપુરુષો યોગ્ય જીવોને આગમના પરમાર્થની પ્રાપ્તિ થાય તે આશયથી નવી શાસ્ત્રરચનાનો શ્રમ કરે છે. માટે સજ્જનોનો શાસ્ત્રરચનાનો શ્રમ દોષરૂપ નથી. ll૧૪ના અવતરણિકા : પૂર્વગાથામાં ગ્રંથકારે કહ્યું કે સંતોની નવી રચના યોગ્ય જીવોને આગમમાં પ્રવેશ કરાવનાર છે. માટે નવી રચનાનો શ્રમ દોષરૂપ નથી. ત્યાં દુર્જન અન્ય શું દોષ આપે છે ? તે બતાવીને નિરાકરણ કરે છે – શ્લોક :पूर्वपूर्वतनसूरिहीलना नो तथापि निहतेति दुर्जनः । तातवागनुविधायिबालवनेयमित्यथ सतां सुभाषितम् ।।१५।। અન્વયાર્થ: તથાપિ તોપણ પૂર્વપૂર્વતનસૂરિન્દરના=પૂર્વપર્વતન સૂરિની હલના નો નિહતા=હણાઈ નથી=નવી રચનાથી હીલના દૂર થઈ નથી કૃતિ એ પ્રમાણે દુર્બન =દુર્જન કહે છે. તાતવાનુવિધાવવાન્સવ–પિતાની વાણીના અનુવિધાથી એવા બાળની જેમ જ રૂદં=આ નથી=નવા ગ્રંથની રચનાથી પૂર્વપર્વતન સૂરિની હીલના નથી રૃતિ એ પ્રમાણે અથ સતા સુમતિ=સંતોનું સુભાષિત છે સંતપુરુષોનું સમાધાન છે. ૧૫ શ્લોકાર્ચ - તોપણ પૂર્વપૂર્વતન સૂરિની હીલના હણાઈ નથી=નવી રચનાથી હીલના દૂર થઈ નથી, એ પ્રમાણે દુર્જન કહે છે. પિતાની વાણીને અનુસરનાર એવા બાળની જેમ, આ નથી=નવા ગ્રંથની રચનાથી પૂર્વપૂર્વતન સૂરિની હીલના નથી, એ પ્રમાણે સંતોનું સુભાષિત છે=સંતપુરુષોનું સમાધાન છે. II૧૫II. આ શ્લોકમાં ‘થ' શબ્દ પાદપૂર્તિ માટે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68