Book Title: Ratnakaravatarika Part 3
Author(s): Vadidevsuri, Kalyanbodhivijay
Publisher: Jain Dharm Prasaran Trust Surat

Previous | Next

Page 371
________________ ૩૫૪ પરિચ્છેદ-૮ સૂત્ર-૧ રત્નાકરાવતારિકા ભાગ-૩ કરતો હોય એમ બનતું નથી. જેમકે જે વાદીઓ શબ્દાદિમાં એકાન્ત નિયત્વ માને છે. અને તે માનીને શબ્દાદિમાં એકાન્ત અનિત્યત્વ માનનારા બૌદ્ધની સામે વાદમાં ઉતરે છે. ત્યારે વાદી એવા તૈયાયિકોએ શબ્દાદિમાં નિત્યત્વ સ્વયં પોતે આગમાદિ પ્રમાણોથી માની લીધું છે. શબ્દાદિમાં નિયત્વ હોવાની જરાપણ શંકા નથી. અને તે બાબતમાંથી તે ફરવા કે સમજવા જરા પણ તૈયાર નથી. એકાન્તનિયત્વ છે જ આવો તેનો પાકો નિર્ણય છે. પછી જ તે વાદમાં ઉતરે છે. આ રીતે પોતાની માનેલી માન્યતાનો પાકો નિર્ણય હદયમાં રાખીને પ્રવર્તતો એવો આ વાદી મનમાન પોતાનાથી વિરોધી એવા પ્રતિપક્ષ-પ્રતિવાદીના પ્રતિક્ષેપ પક્ષનું ખંડન માત્ર કરવાના મનોરથ =મનોરથોવાળો થયો છતો મદમદમિય-હું જ કંઈક વિશિષ્ટ છું. હું જ સાચો છું. ઈત્યાદિ રૂપે અહંપણાના અભિમાનથી મનુમાન-પ્રતિવાદીને હરાવવા માટે જ અનુમાનનો પ્રયોગ ૩પચસ્થતિ=રજુ કરે છે. એવી જ રીતે પ્રતિવાદી પણ તે જ શબ્દાદિ ધર્મીમાં એકાન્ત પ્રથમથી જ સ્વીકારી લીધો છે અનિયત્વ ધર્મ જેણે એવો આગ્રહી થયો છતો તે જ રીતે (વાદીની જેમ જ) વાદીના પક્ષમાં દૂષણ આપે છે. આ રીતે આ બન્ને વાદી અને પ્રતિવાદી પોતપોતાના માની લીધેલા વિષયના અત્યન્ત આગ્રહી હોવાથી વાદ કથાના પ્રારંભની પૂર્વે “અનવસાય”નો એટલે કે અનિષ્ણતનો અવકાશ જ ક્યાંથી હોય? માટે ન્યાયભાષ્યમાં કરેલું વિરોધનું આ લક્ષણ દોષવાળું છે. ઉચિત નથી. ततोऽयं सूत्रार्थः-यावेकाधिकरणावेककालौ च धर्मी विरुध्येते, तयोर्मध्यादेकस्य सर्वथा नित्यत्वस्य कथंचिन्नित्यत्वस्य वा व्यवच्छेदेन निरासेन, स्वीकृततदन्यधर्मस्य कथंचिन्नित्यत्वस्य सर्वथा नित्यत्वस्य वा, व्यवस्थापनार्थं वादिनः प्रतिवादिनश्च साधनदूषणवचनं वाद इत्यभिधीयते । सामर्थ्याच्च स्वपक्षविषयं साधनम्, परपक्षविषयं तु दूषणम्, साधनदूषणवचने च प्रमाणरूपे एव संभवतः, तदितरयोस्तयोस्तदाऽऽभासत्वात्, न च ताभ्यां वस्तु साधयितुं दूषयितुं वा शक्यमिति ॥ ન્યાયભાષ્યની પંક્તિમાં વિરોધનો કરેલો અર્થ અવ્યાપક અને પુનરુક્તિ આદિ દોષવાલો હોવાથી ગ્રંથકારશ્રી વાદિદેવસૂરિજી મહારાજશ્રીએ કરેલા મૂલસૂત્રનો અર્થ આ પ્રમાણે કરવો કે એક જ અધિકરણમાં એક જ કાલે જે બે ધર્મો પ્રત્યક્ષાદિ પ્રમાણોથી પરસ્પર વિરુદ્ધ જણાતા હોય. તે બે પરસ્પર વિરુદ્ધ ધર્મોમાંથી કોઇપણ એકધર્મનો = સર્વથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444