Book Title: Ratnakaravatarika Part 3
Author(s): Vadidevsuri, Kalyanbodhivijay
Publisher: Jain Dharm Prasaran Trust Surat

Previous | Next

Page 400
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૮ સૂત્ર-૧૬-૧૭ ૩૮૩ મને પક્ષપ્રતિપક્ષ: માત્ર પ્રસાદનક્ષેપUત્નિ | वादेऽत्र मल्लप्रतिमल्लनीतितो वदन्ति वादिप्रतिवादिनौ बुधाः ॥१॥" ॥१७॥ વિવેચન- જ્યારે જ્યારે વાદી અને પ્રતિવાદી દ્વારા વાદકથા પ્રારંભાય છે. ત્યારે ત્યારે બન્ને વ્યક્તિઓએ પોતપોતાના પક્ષનું પ્રમાણ પૂર્વક (સુયુક્તિઓ પૂર્વક) સ્થાપન કરવું અને પરપક્ષનું ખંડન કરવું આ બન્ને કામો બન્નેનાં છે. જો સ્વપક્ષ-સ્થાપન અને પરપક્ષ પ્રતિક્ષેપ આ બે કાર્યોમાંથી ગમે તે એક કાર્ય કરે અને બીજું કાર્ય ન કરે તો એટલે કે બે કાર્યોમાંના કોઈપણ એક કાર્યના વિરહમાં તત્ત્વનિર્ણયની અનુત્પત્તિ છે. આ કારણથી જ મૂલસૂત્રમાં “વપક્ષસ્થાપનપ્રતિપક્ષપ્રતિક્ષેપ'' આમ દ્વિવચનનો પ્રયોગ કરીને પણ “ ” શબ્દમાં એકવચનનો પ્રયોગ કર્યો છે અર્થાત્ જેમ બંધન (કાષ્ઠ), ધ્યાન (ફૂંકણી.), અધિશ્રયણ (ચૂલા ઉપર વસ્તુ મૂકવી) આ બધી ક્રિયાઓ મળીને જ “પાક” ક્રિયા થાય છે. ઉપરોક્ત સર્વે ક્રિયાઓમાંથી કોઈપણ એક ક્રિયા જ ન હોય તો “વિક્લિત્તિ” (એટલે પાક) ક્રિયાની અનિષ્પત્તિ જ થાય છે. તેથી આ સર્વે ક્રિયાઓ મળીને “પાકક્રિયા”નો એક ક્રિયા રૂપે વ્યવહાર થાય છે. તેવી જ રીતે સ્વપક્ષસાધન અને પ્રતિપક્ષનું પ્રતિક્ષેપણ આમ આ બન્ને ક્રિયાઓ મળીને જ વાદ કરવા રૂપ એક “” ક્રિયા છે. આમ જણાવવા વચનભેદથી નિર્દેશ કરેલ છે. વળી “સ્વપક્ષસાધન અને પ્રતિપક્ષપ્રતિપ” આ બન્ને પદોનો સમાસ કરીને એકવાક્ય સ્વરૂપે મૂલસૂત્રમાં ગ્રન્થકારે જે વિધાન કર્યું છે. તે એમ જણાવે છે કે ક્યારેક એક જ પ્રયત્ન માત્રથી આ બન્ને કામો નિષ્પન્ન થઈ જાય છે. આમ સમજાવવા માટે સમાસ કરેલ છે. વાદકથામાં વાદી દ્વારા પોતાના પક્ષનું સ્થાપન કરવા રૂપ પ્રથમકક્ષા સમાપ્ત થયે છતે (એટલે કે વાદી બોલી રહે ત્યારબાદ) પ્રતિવાદીને બોલવાનો અવસર પ્રાપ્ત થવા રૂપ બીજી કક્ષા આવે છતે પણ જો પ્રતિવાદી કંઇપણ ન બોલે (એટલે કે પ્રતિવાદી જો વાદીના કહેલા તત્ત્વમાં કંઇપણ દોષો ન બતાવે) તો તે જ વખતે પ્રથમ કક્ષામાં જ વાદી દ્વારા પોતાના માનેલા દર્શનના અનુસારે યુક્તિયુક્ત એવાં સત્રમાણો રજુ કરવા પૂર્વક વસ્તુ સિદ્ધ કરાયે છતે પોતાના પક્ષની જે સ્થાપના કરી છે. તે જ પ્રતિપક્ષનો પ્રતિક્ષેપ (એટલે કે પરપક્ષનું ખંડન) છે. પરપક્ષના ખંડન માટે બીજી યુક્તિઓ હવે આપવી પડતી નથી. કારણકે જ્યારે પ્રતિવાદી કંઇ બોલે જ નહીં. તેનો અર્થ એ છે કે વાદી વડે કહેવાયેલી વાત સત્ય છે. તેનાથી અન્ય વાત મિથ્યા છે. માટે સ્વપક્ષના સ્થાપન રૂપ એક જ પ્રયત્નથી પરપક્ષનું ખંડન પણ સમજી લેવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444