Book Title: Ratnakaravatarika Part 3
Author(s): Vadidevsuri, Kalyanbodhivijay
Publisher: Jain Dharm Prasaran Trust Surat

Previous | Next

Page 426
________________ ૪૦૯ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૮ઃ સૂત્ર-૨૨ તેના સમર્થન માટે બીજાં બીજાં પ્રમાણો અપાય, તો આમ પ્રમાણાન્તરો જ નિરન્તર રજુ કરવાનો પ્રસંગ આવે, તેમાંથી આ વાદી ક્યારેય અટકશે જ નહીં, તેવી જ રીતે સાથ્યાદિ પણ સમજાવવામાં અનેક પ્રમાણો જણાવતાં જણાવતાં આ વાદી ક્યારેય વિરામ પામશે નહીં આ રીતે આ વાદીની બોલવાની ક્રિયાની કોઈ સીમા અમને દેખાતી નથી. વાદસભામાં આવેલા સભ્યો આ રીતે વાદીની બોલવાની સીમાને ન દેખતાં, અને સિદ્ધ વસ્તુને જ વધારે પ્રમાણો આપી આપીને સમજાવવા દ્વારા વાદનો સમય નિરર્થક પસાર કરે છે. ઈત્યાદિ વિચારો દ્વારા ઉદ્વેગ પામે છે. તે કારણથી સિદ્ધ વસ્તુનું વારંવાર સમર્થન કરવું તે નિરર્થક હોવાથી વાદીએ આવું ન કરવું જોઇએ. “પર્વતો વીદ્વાન્ ધૂમ" પર્વત ઉપર વહ્નિ છે કે નથી. તેની ખબર નથી, તેથી વહ્નિના અસ્તિત્વમાં સંદેહ હોવાથી “સાધ્ય” કહેવાય છે. અને ધૂમ ચક્ષુ આદિ ઇન્દ્રિયોથી પ્રત્યક્ષ દેખાતો હોવાથી સિદ્ધ કહેવાય છે. અનુમાનમાં એક સાધ્ય અને એક સિદ્ધ હોય છે. આ રીતે સિદ્ધપદાર્થ અને સાધ્ય પદાર્થ એમ બન્નેનું સાથે ઉચ્ચારણ જ્યારે જ્યારે કરવામાં આવે છે. ત્યારે ત્યારે સિદ્ધ પદાર્થનું (ધૂમનું) જે કથન કરાય છે. તે (સંદેહાત્મક અર્થાત્ અસિદ્ધ એવા) સાધ્ય (વહ્નિ) માટે જ કરાય છે. આવો ન્યાય હોવાથી સંદિગ્ધ એવા સાધ્યની સિદ્ધિ માટે સામાનઆ સિદ્ધ પદાર્થનું ઉપાદાન અવશ્ય કરવું જ જોઈએ. એટલું જ નહિ, પરંતુ સિદ્ધ પદાર્થનું જ હેતુરૂપે કથન કરવું જોઈએ. મારથ જો એમ ન સ્વીકારીએ અને સાધ્ય પણ અસિદ્ધ તથા હેતુ પણ અસિદ્ધ આમ સ્વીકારીએ તો અસિદ્ધ એવા હેતુથી અસિદ્ધ એવા સાધ્યની સિદ્ધિથી વાદીને શું સિદ્ધ થવાનું ? કંઈ જ સિદ્ધ નહી થવાનું. કારણકે સાધ્યને સમજાવનારો હેતુ પોતે પણ હજુ અસિદ્ધ છે. તેને સાધવા પ્રમાણાન્તરોની પરંપરા લાવતાં અનવસ્થા જ આવશે. આ રીતે વિચારતાં સમજાશે કે વાદીએ સાધ્ય-સાધવા માટે જે પ્રત્યક્ષાદિ પ્રમાણોથી પ્રસિદ્ધ એવો હેતુ મૂક્યો છે. તે હેતુને સાધવા અધિક બોલવાની જરૂર નથી. યત્ર તુપરંતુ પ્રત્યક્ષાદિ પ્રમાણોથી પ્રસિદ્ધ એવો હેતુ રજુ કરવા છતાં પણ હેતુમાં રહેલું “સિદ્ધત્વ” પ્રતિવાદી આદિને સંદેહાત્મક લાગે, અથવા વિવાદયુક્ત લાગે અને તેના કારણે સત્ય હેતુમાં પણ તે પ્રતિવાદી યેન કેન પ્રકારે દોષો પ્રગટ કરે તો ત્યાં વાદીએ તે દોષોનો ઉદ્ધાર કરીને પોતાનો હેતુ સાધ્ય-સાધવામાં સમર્થ જ છે. એમ ત્રીજી કક્ષામાં તેનું સામર્થ્ય જણાવવું સાર્થક છે. તેથી આ વાત સો ટચના સોના જેવી સિદ્ધ થઈ કે જે જે વ્યક્તિઓ આ હેતુને પ્રત્યક્ષાદિ પ્રમાણોથી સિદ્ધ ૫૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444