Book Title: Ratnakaravatarika Part 3
Author(s): Vadidevsuri, Kalyanbodhivijay
Publisher: Jain Dharm Prasaran Trust Surat

Previous | Next

Page 430
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૮ : સૂત્ર-૨૨ ૪૧૩ હોય, ત્યારબાદ બીજી કક્ષામાં પ્રતિવાદીને બોલવાનો જ્યારે વારો આવે ત્યારે “આ તત્વ'' હેતુ વિરુદ્ધ હેત્વાભાસ છે. કારણકે તeત્વ હેત નિત્ય સાધ્યની સાથે પ્રવર્તતો નથી પરંતુ નિત્ય (એવા સાધ્યાભાવ)માં જ વ્યાપક છે. માટે વિરુદ્ધ છે. આ પ્રમાણે પ્રતિવાદી જ્યારે વાદીના હેતુમાં વિરુદ્ધતા જણાવે ત્યારે શત્રુને મારી નાખવાથી “શત્રુનું મૃત્યુ અને પોતાની રક્ષા” આમ બન્ને કાર્યો એકી સાથે એક જ પ્રયત્નથી જેમ થાય છે. તેમ વાદીના હેતુમાં વિરુદ્ધતા જણાવવા રૂપ એક જ પ્રયત્નથી “પરપક્ષનું ખંડન અને સ્વપક્ષની સિદ્ધિ” આમ બન્ને કાર્યો થાય છે. કૃતકત્વહેતુ વિરુદ્ધ છે. અનિત્યની સાથે વ્યાપક છે. આમ કહેવાથી વાદીની હાર અને પ્રતિવાદીનો વિજય બન્ને સાથે થાય છે અને તે પણ એક જ પ્રયત્નથી થાય છે. સ્વપક્ષની સિદ્ધિ માટે અન્ય હેતુ કહેવાની જરૂર રહેતી નથી. આ કારણે એક જ પ્રયત્નથી બે કાર્યો કર્યા છે. તેથી “પ્રૌઢતા સ્વરૂપ પ્રિયસખીથી યુકત એવી જ વિજયલક્ષ્મીને આ પ્રતિવાદી પ્રાપ્ત કરે છે. પ્રૌઢતા અને લક્ષ્મી આ બંને સ્ત્રીલિંગ શબ્દો હોવાથી સ્ત્રી છે અને બન્ને બહેનપણી છે. તેથી આ પ્રતિવાદી વિજયલક્ષ્મી નામની પત્ની તો પ્રાપ્ત કરે જ છે પરંતુ તે એકલી સાથે પાણિગ્રહણ કરતો નથી. પણ વિજયલમીની બહેનપણી એવી પ્રૌઢતા નામની બીજી સ્ત્રી સાથે પણ પાણિગ્રહણ કરે છે. એકી સાથે વિજય અને ગૌરવ બન્ને પામે છે. કારણકે વિરુદ્ધતા જણાવવા રૂપ એક જ પ્રયત્નથી પરપક્ષનું ખંડન અને સ્વપક્ષની સિદ્ધિ એમ બે કાર્યો કર્યા છે. પરંતુ વાદીના આ અનુમાનમાં બીજી કક્ષામાં પ્રતિવાદી જો વિરુદ્ધતા જણાવવાને બદલે (વિરુદ્ધતા ન જણાવે અને) અસિદ્ધતા જણાવે જેમકે- આ કૃતત્વ હેતુ શબ્દમાં નથી. શબ્દ એ શ્રોત્રેન્દ્રિય ગમ્ય હોવાથી શબ્દજાતિની જેમ અકૃતક છે. અથવા આકાશનો ગુણ હોવાથી, આકાશ જેમ અકૃતક છે તેમ તેનો ગુણ શબ્દ પણ અકૃતક છે. ઇત્યાદિ રીતે પ્રતિવાદી જો વાદીના હેતુને અસિદ્ધ માત્ર કરે તો તેનાથી વાદીની વાત હેવાભાસવાળી થવાથી પ્રતિવાદી દ્વારા પરપક્ષનું ખંડન થવા રૂપ એક જ કાર્ય થાય છે. પરંતુ સ્વપક્ષની સિદ્ધિ રૂપ બીજું કાર્ય થતું નથી. એટલે સ્વપક્ષની સિદ્ધિરૂપ બીજું કાર્ય બીજા હેતુથી પ્રતિવાદીએ કરવાનું થાય છે. આ રીતે થવાથી સ્વપક્ષની સિદ્ધિ માટે સાધનાન્તર “શબ્દઃ નિત્ય: સત્ત્વ' આવું પ્રતિવાદીને કહેવું જ પડે છે. આવું બીજું અનુમાન રજુ કરવા દ્વારા સ્વપક્ષની સિદ્ધિ કરતો પ્રતિવાદી કેવલ એકલી વિજયલક્ષ્મીને પામે છે. પરંતુ પ્રૌઢતાને પામતો નથી. કારણકે વિરુદ્ધતા જણાવનારાએ એક જ પ્રયત્નથી બે કાર્યો કર્યા હતાં. જ્યારે અસિદ્ધતા જણાવનારાએ પ્રથમ અસિદ્ધતા જણાવવા દ્વારા પરપક્ષનું ખંડન અને પછી સાધનાન્સર જણાવવા દ્વારા સ્વપક્ષની સિદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444