Book Title: Ratnakaravatarika Part 3
Author(s): Vadidevsuri, Kalyanbodhivijay
Publisher: Jain Dharm Prasaran Trust Surat

Previous | Next

Page 429
________________ ૪૧૨, પરિચ્છેદ-૮ : સૂત્ર-૨૨ રત્નાકરાવતારિકા ભાગ-૩ અને જે દોષ કોઇના વડે અપાયા પણ નથી એટલે કે નક્કી દોષાભાવ જ છે. તો પણ નિરર્થક ઉદ્ધાર કરે છે. તે આ ત્રણે પણ વાદીઓ અનુક્રમે ઉત્તમ, મધ્યમ અને અધમ કહેવાય છે. આવો ફલિતાર્થ છે. સારાંશ કે ભાવિમાં આવનારા દોષોની સ્વયં સંભાવના કરીને જો વાદી તેનો ઉદ્ધાર કરે તો તે ઉત્તમ વાદી કહેવાય, પ્રતિવાદી વડે દોષો અપાયા પછી તે દોષોનો ઉદ્ધાર કરે તો તે મધ્યમ વાદી કહેવાય, અને જે દોષો કોઇએ આપ્યા પણ નથી અથવા જે દોષો ક્યારેય આવવાના પણ નથી છતાં વાયડાપણાના સ્વભાવથી તેવા દોષોનો ઉદ્ધાર કરવાનું ચાલુ રાખે તે અધમ વાદી કહેવાય છે. “કોઇપણ વાદી પોતાના પક્ષની સિદ્ધિ માટે પહેલાં સાધન (હેતુ) કહે છે. ત્યારબાદ જો પ્રૌઢતા (પ્રતિભા એટલે કે શ્રેષ્ઠ પ્રભાવ) રૂપી પ્રિયા સાથે હોય તો ત્યાં ભાવિમાં સંભાવના વાળા દોષોનો ઉદ્ધાર પણ કરે છે.” આ પ્રમાણે વાદીએ બોલવાની પ્રથમકક્ષાની ચર્ચા સમાપ્ત થઈ. द्वितीयकक्षायां तु प्रतिवादिना स्वात्मनो निर्दोषत्वसिद्धये वादिवदवदातमेव वक्तव्यम् । द्वयं च विधेयम्-परपक्षप्रतिक्षेपः, स्वपक्षसिद्धिश्च । तत्र कदाचिद् द्वयमप्येतदेकेनैव प्रयत्नेन निर्वय॑ते, यथा-नित्यः शब्दः कृतकत्वात् , इत्यादौ विरुद्धोद्भावने, परप्रहरणेनैव परप्राणव्यपरोपणात्मरक्षणप्रायं चैतत् प्रौढतारूपप्रियसखीसमन्वितामेव विजयश्रियमनुषञ्जयति । असिद्धतायुद्भावने तु स्वपक्षसिद्धये साधनान्तरमनित्यः शब्दः सत्त्वादित्युपाददानः केवलामेव तामवलम्बते । तदप्यनुपाददानस्त्वसिद्धतायुद्भावनभूतं श्लाघ्यतामात्रमेव प्राप्नोति, न तु प्रियतमां विजयश्रियम् ॥ પ્રથમ કક્ષામાં વાદ આરંભનાર વાદીએ શું શું કરવું જોઇએ ? તે કહીને હવે વાદી બોલી રહે ત્યારબાદ દ્વિતીય કક્ષામાં પ્રતિવાદીએ પણ પોતાનો પક્ષ (પોતાની માન્યતા) નિર્દોષ જ છે. આમ તેની નિર્દોષતા સિદ્ધ કરવા માટે વાદીની જેમ જ શુદ્ધ-નિર્દોષ વચન જ બોલવું જોઇએ અને તે પણ જેટલું જરૂરી હોય તેટલું જ બોલવું જોઇએ. નિરર્થક, અધિક કે દોષયુક્ત ન બોલવું જોઇએ. તથા તે પ્રતિવાદીએ બે કાર્યો કરવાનાં હોય છે. એક પરપક્ષનો પ્રતિક્ષેપ અને બીજું પોતાના પક્ષની સિદ્ધિ, આ બન્ને કાર્યો પ્રતિવાદીએ અવશ્ય કરવાં જોઇએ. બેમાંથી એક કાર્ય કરે અને બીજું કાર્ય ન કરે તો પણ વાદસભામાં ચાલે નહીં. ક્યારેક આ બન્ને પણ કાર્યો એક જ પ્રયત્નથી થઈ જાય એવું બની શકે છે. જેમકે- “શબ્દઃ નિત્ય તત્વત્િ' આવું અનુમાન પ્રથમ કક્ષામાં વાદીએ કહ્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444