Book Title: Ratnakaravatarika Part 3
Author(s): Vadidevsuri, Kalyanbodhivijay
Publisher: Jain Dharm Prasaran Trust Surat

Previous | Next

Page 439
________________ ૪૨ ૨ પરિચ્છેદ-૮ સૂત્ર-૨૩ રત્નાકરાવતારિકા ભાગ-૩ વાદી જો આશ્રય કરે તો તે યોગ્ય નથી. અર્થાત્ વાદીએ નવા પ્રમાણનો આશ્રય કરવો જોઇએ નહીં, કારણકે પોતાનામાં આવેલા દૂષણને જે દૂર નથી કરતો તે જ તેની નબળાઈ છે. નવા નવા પ્રમાણ રજુ કરવાથી વાદ કથાના વિરામના અભાવનો જ પ્રસંગ આવે. આ વાત અમે પહેલાં કહી ચૂક્યા છીએ, આ કારણથી જ વાદીના પોતાના સાધનમાં પ્રતિવાદી દ્વારા જે જે દૂષણો અપાયાં છે. તેનો જો ઉદ્ધાર કરવામાં ન આવે અને ફક્ત પર-સાધનમાં જ (પ્રતિવાદીએ પોતાના પક્ષની સિદ્ધિ માટે રજુ કરેલા સાધનમાં જ) વિરુદ્ધતા (આદિ) દોષોનું ઉભાવન જ જો વાદી કર્યા કરે તો તે કરવા છતાં પણ તેને વિજયલક્ષ્મી પ્રાપ્ત થવાની વ્યવસ્થા થતી નથી. પરંતુ તદ્વારે પ્રતિવાદીએ આપેલા તે દોષોનો વાદી જો ઉદ્ધાર કરે ત૬માવ અને પ્રતિવાદીના પ્રમાણમાં તેવા દોષોનું ઉભાવન જો વાદી કરે તો તેનો સારી રીતે વિજય થાય જ, આવું કોણ ન માને ? પોતાનામાં આવેલા દોષોનો ઉદ્ધાર કરતો અને પ્રતિવાદીને દૂષણ આપતો આ વાદી અવશ્ય વિજયલક્ષ્મી પાસે જ છે. આ વાદી વિજયલક્ષ્મી પામે છે. એટલું જ નહીં પરંતુ વાદીના સર્વ વિજયોમાં આ વિજય પ્રશંસનીય ગણાય છે. કારણકે વાદી આ બે કાર્ય કરતો છતો બોલવાની સુંદર છટા વડે પર: પ્રતિવાદી પાસે તેના પોતાના અંગીકાર કરેલા પક્ષને ત્યજાવીને વપક્ષાર નં-પોતાના (વાદીના) પક્ષનો આશ્રય કરાવવા રૂપ આરાધન કરાવે છે. અર્થાત્ આ વાદી પ્રતિવાદીને પોતાના સિદ્ધાન્તનો રાગી બનાવી દે છે. આની તુલ્ય બીજો કયો વિજય હોઇ શકે ? આ રીતે આ ત્રીજી કક્ષામાં વાદી પોતે પ્રતિવાદીએ આપેલા દૂષણને પહેલાં દૂષિત કરે છે. અને પછી પ્રતિવાદીના પ્રમાણને અપ્રમાણરૂપ કરે છે. અને તેનાથી સર્વોત્તમ વિજય પામે છે. આ પ્રમાણે ચોથીકક્ષામાં પ્રતિવાદીએ અને પાંચમી કક્ષામાં વાદીએ આદિ શબ્દથી છટ્ટીકક્ષામાં પ્રતિવાદીએ અને સાતમી કક્ષામાં વાદીએ કેટલું બોલવું જોઈએ ? કેવું બોલવું જોઇએ ? ઇત્યાદિ ચર્ચા ઉપરોક્ત ચર્ચાને અનુસાર સ્વયં વિચારી લેવી. || ૮-૨૨ अथ-तत्त्वनिर्णिनीषुवादे कियत्कक्षं वादिप्रतिवादिभ्यां वक्तव्यमिति निर्णेतुमाहुः उभयोस्तत्त्वनिर्णिनीषुत्वे यावत् तत्त्वनिर्णयं, यावत्स्फूर्ति च વીવમ્ ૮-રરૂા. અવતરણાર્થતત્ત્વનિર્ણિનીષ એવા વાદી-પ્રતિવાદી દ્વારા વાદ આરંભાયો હોય ત્યારે કેટલી કક્ષા સુધી આ બન્નેએ બોલવું જોઇએ. તેનો નિર્ણય કરતાં જણાવે છે કે સૂત્રાર્થ – વાદી અને પ્રતિવાદી આમ બન્ને તત્ત્વનિર્ણિનીષ હોતે છતે જ્યાં સુધી તત્ત્વનો નિર્ણય થાય અને જ્યાં સુધી સ્કૂર્તિ હોય ત્યાં સુધી બોલવું જોઇએ. II૮-૨૩ાા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 437 438 439 440 441 442 443 444