Book Title: Ratnakaravatarika Part 3
Author(s): Vadidevsuri, Kalyanbodhivijay
Publisher: Jain Dharm Prasaran Trust Surat

Previous | Next

Page 427
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૮ સૂત્ર-૨૨ ૪૧૦ માનતા હોય, જે હેતુમાં સંદેહ કે વિવાદ ન હોય, તેવી વ્યક્તિઓ પ્રત્યે વાદીએ તે હતુનું સામર્થ્ય સાધવાની જરૂર નથી. ___ बौद्धो हि मीमांसकं प्रत्यनित्यः शब्दः सत्त्वात् , इत्यभिधायोभयसिद्धस्यार्थक्रियाकारित्वरूपस्य सत्त्वस्यासिद्धत्वमुद्धरन् न कमप्यर्थं पुष्णाति, केवलं सिद्धमेवार्थं समर्थयमानो न सचेतसामादरास्पदम् । अनैकान्तिकत्वं पुनराशयोद्धरन्नधिरोपयति सरसे सभ्यचेतसि स्वप्रौढवल्लरीम् । तदिह यथा-कश्चित् चिकित्सकः कुतश्चित् पूर्वरूपादेः संभाव्यमानोत्पत्तिं दोषं चिकित्सति, अन्यः कश्चिदुत्पन्नमेव, कश्चित्त्वसंभाव्यमानोत्पत्तितयाऽनुत्पन्नतया च निश्चिताभावम्, इत्येते त्रयोऽपि यथोत्तरमुत्तममध्यमाधमाः, तद्वद्वाद्यप्येकः कथञ्चिदाशक्यमानोद्भावनं दोषं समुद्धरति, अपरः परोद्भावितम् , अन्यस्त्वनाशक्यमानोद्भावनमनुद्भावितं चेति, एतेऽपि त्रयो यथोत्तरमुत्तममध्यमाधमा इति परमार्थः ॥ "स्वपक्षसिद्धये वादी साधनं प्रागुदीरयेत् । यदि प्रौढिः प्रिया तत्र, दोषानपि तदुद्धरेत् ॥१॥" इति संग्रहश्लोकः ॥ ઉપર કરેલી લંબાણ પૂર્વકની ચર્ચાને બરાબર સમજાવવા ટીકાકારશ્રી એક ઉદાહરણ આપે છે કે- ધારો કે બૌદ્ધદર્શનાનુયાયી વક્તા “વાદી” છે. અને મીમાંસક દર્શનાનુયાયી શ્રોતા પ્રતિવાદી છે. ત્યાં બૌદ્ધ મીમાંસક પ્રત્યે આ પ્રમાણે કહે છે કેશબ્દ (પક્ષ), નિત્ય (સાધ્ય), સર્વત્ (હેતુ). આ અનુમાનમાં જે “સત્ત્વ” હેતુ મૂકવામાં આવ્યો છે. તે બૌદ્ધ અને મીમાંસક એમ બન્નેને શબ્દનામના પક્ષમાં છે જ આવું માન્ય છે. કારણકે શબ્દને શ્રોત્રેન્દ્રિય દ્વારા સાંભળવાથી અનુકૂળ-પ્રતિકૂળ શબ્દશ્રવણ પ્રમાણે હર્ષ-શોકાદિરૂપ અર્થક્રિયાકારિત્વ તે શબ્દમાં સંભવે છે. અને જે જે અર્થ ક્રિયાકારી હોય તે સત્ હોય જ છે. જેમકે ઘટ. આ રીતે વાદી-પ્રતિવાદી એમ બન્નેને માન્ય એવું “અર્થક્રિયાકારિત્વ સ્વરૂપવાળું સત્ત્વ શબ્દપક્ષમાં છે જ. તેથી પક્ષમાં તેવા હેતુના અસિદ્ધત્વનો ઉદ્ધાર કરતો વાદી કંઈ પણ વિશિષ્ટ અર્થને પુષ્ટ કરતો નથી. કંઈ પણ ચમત્કારિક અર્થ સમજાવતો નથી. કેવળ પ્રસિદ્ધ અર્થને જ વારંવાર પ્રમાણોથી સમર્થન કરતો છતો સહદય એવા સભ્યોને આદર પાત્ર બનતો નથી. આ હેતુનું સિદ્ધત્વ પ્રસિદ્ધ હોવાથી અસિદ્ધત્વ છે જ નહીં. તેથી તેનો ઉદ્ધાર કરવાની જરૂર નથી. છતાં તે વાદી તે અસિદ્ધત્વને જ દૂર કરવામાં પડી જાય તો આદરપાત્ર રહેતો નથી. પરંતુ વાદી પોતે જ મારો આ હેતુ કદાચ કોઈ “અનૈકાન્તિક” (સવ્યભિચારી) કરે એવી શંકા ઉઠાવીને અનૈકાતિક્તા સમજાવીને તેનો ઉદ્ધાર કરે તો તે સભ્યોના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444