Book Title: Ratnakaravatarika Part 3
Author(s): Vadidevsuri, Kalyanbodhivijay
Publisher: Jain Dharm Prasaran Trust Surat

Previous | Next

Page 416
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૮ : ગાથા-૨૨ ૩૯૯ સમજવો અને સમજાવવો છે તે સમજાવવામાં આ ઘાતક શબ્દનો પ્રયોગ અસમર્થ છે. માટે ભૂલથી જો આવા શબ્દો વાદમાં વપરાઇ જાય તો અસમર્થદોષ લાગે છે. (૭) અશ્લીલ દોષઃ હલકા શબ્દોનો પ્રયોગ, થ્રીડા (શરમ) ઉત્પન્ન થાય, તિરસ્કાર ઉત્પન્ન થાય, અમંગલ ઉત્પન્ન થાય એવા તુચ્છ-અસાર શબ્દોનો પ્રયોગ કરવો તે અશ્લીલ દોષ કહેવાય છે. જેમકે- સંસ્કૃતભાષામાં ‘“નોના'' શબ્દ આવે છે કે જેનો “પ્રેરણા” અર્થ થાય છે. આવા પ્રકારના પ્રેરણા અર્થવાળા નોવના શબ્દમાં ભૂલથી પ્રથમ અક્ષર ના ને બદલે ચાર જો વાપરવામાં આવે તો વ્રીડા (શરમ) ઉત્પન્ન થાય, એવો હલકો શબ્દ થઇ જાય છે. તેથી ચોના આદિ શબ્દોનો પ્રયોગ કરવાથી અશ્વીલ દોષ લાગે છે. (૮) નિરર્થક દોષઃ— જરૂરીયાત વિનાના શબ્દોનો પ્રયોગ કરવો તે નિરર્થક દોષ. જેમકે- ‘‘શબ્દો, વૈ અનિત્ય:, તત્ત્વાર્ વ્રુત્ત્વિતિ'' આ અનુમાનમાં જે વૈ અને છતુ શબ્દો છે. તેનું કંઇ પ્રયોજન નથી. તેથી આવા પ્રકારના બીનજરૂરી શબ્દોનો પ્રયોગ કરવો તે નિરર્થકદોષ જાણવો. (૯) અપરાક્રૃષ્ટવિધેયાંશ દોષ:- જે અનુમાનમાં જે વિધેય હોય, તેનો પ્રધાનપણે નિર્દેશ કરવો જોઇએ. તેને બદલે ગૌણ પણે નિર્દેશ કરાય તો આ દોષ લાગે છે. જેમકે ‘‘અનિત્યશન્દ્ર: તાત્'' આ પ્રમાણે અનુમાન કરવામાં શબ્દનું અનિત્યત્વ જે સાધ્ય છે. તેનો પ્રધાનપણે નિર્દેશ કરવો જોઇએ પરંતુ સામાસિક પ્રયોગ કરવાથી અને શબ્દનું વિશેષણ થવાથી તે ગૌણ બની જાય છે. તેવા પ્રકારના ગૌણ ભાવના કલંકથી કલંક્તિ પ્રયોગ ન કરવો જોઇએ. તેથી વિધેય એવા અનિત્યપદનું ગૌણપણે વિધાન કરવાથી આ દોષ લાગે છે. હવે કદાચ સમાસ ન કરીએ અને “અનિત્ય: રાષ્ટ્ર: તાત્'' આવા પ્રકારનો પ્રયોગ કરીએ તો વિધેય એવું અનિત્ય ગૌણ ભલે નથી. તો પણ આવો પ્રયોગ પ્રશસંનીય ગણાતો નથી. કારણકે સમાસ વિના પૃથગ્નિર્દેશ કરવા છતાં પણ અનુવાદ્યનો પ્રયોગ પ્રથમ અને વિધેયનો પ્રયોગ પછી કરવો જોઇએ. પહેલાં અનુવાદ્ય (ઉદેશવાક્ય) લખીને પછી જ વિધેયવાક્ય (નિર્દેશવાક્ય) લખાય તો જ તે પ્રયોગ પ્રશંસનીય બને છે. તેને બદલે સમાનાધિકરણ પણે (સમાન વિભન્યન્તપણે) નિર્દેશ કરાયે છતે ‘અનિત્ય શર્: '' આવો નિર્દેશ જો કરીએ તો તે ઉચિત નથી કારણ કે અહીં શબ્દ પ્રથમ વિધેય છે અને અનિત્ય પછી વિધેય છે. અર્થાત્ અનુવિધેય છે. કારણકે “શબ્દ” નામનો ધર્મી પ્રથમ સિદ્ધ થાય, ત્યારબાદ જ તે શબ્દ નિત્ય છે. કે અનિત્ય છે ? આવી ચર્ચા સંભવી શકે. તેથી અનુવિધેય (અર્થાત્ પાછળ જ કહેવા યોગ્ય) એવું અનિત્યત્વ, શબ્દની પૂર્વે નથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444