Book Title: Ratnakaravatarika Part 3
Author(s): Vadidevsuri, Kalyanbodhivijay
Publisher: Jain Dharm Prasaran Trust Surat

Previous | Next

Page 414
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૮ : સૂત્ર-૨૨ વિષયાન્તરનું કથન કરવામાં આવે અને તેના દ્વારા પ્રસ્તુત કથનમાં વિઘ્ન કરવામાં આવે તો તેઓ ક્લેશ નથી પામતા એમ નહીં. પરંતુ અવશ્ય ક્લેશ પામે જ છે વળી આવા પ્રકારના આ સભ્યો વિષયાન્તર બોલતા અને તેના કારણે સમય વીતાવતા વાદી કે પ્રતિવાદીને અપયશ પણ આપે છે. तेन स्वस्वदर्शनानुसारेण साधनं दूषणं चाऽर्थान्तरन्यूनक्लिष्टातिदोषाऽकलुषितं वक्तव्यम् । तत्रार्थान्तरं प्रागेवाऽभ्यधायि । न्यूनं तु नैयायिकस्य चतुरवयवाद्यनुमानમુખ્યસ્વત: । વિનષ્ટ યથા-યત્ નૃત, તવશ્ચાયમ્, ચથા ઘટ:, તસ્માનિત્યસ્તतदनित्यम्, कृतकत्वाच्छब्दोऽनित्य इत्यादि व्यवहितसंबन्धम् । नेयार्थं यथा - शब्दोऽनित्यो द्विकत्वादिति, द्वौ ककारौ यत्रेति द्विकशब्देन कृतकशब्दो लक्ष्यते, तेन कृतकत्वादित्यर्थः । व्याकरणसंस्कारहीनं यथा - शब्दोऽनित्यः कृतकत्वस्मादिति । असमर्थं यथाअयं हेतुर्न स्वसाध्यगमक इत्यर्थेनाऽसौ स्वसाध्यघातक इति । अश्लीलं यथा - नोदनार्थे चकारादिपदम् । निरर्थकं यथा - शब्दो वै अनित्यः कृतकत्वात् खल्विति । अपरामृष्टविधेयांशं यथा - अनित्यशब्दः कृतकत्वादिति । अत्र हि शब्दस्याऽनित्यत्वं साध्यं प्राधान्यात् पृथग् निर्देश्यम्, न तु समासे गुणीभावकालुष्यकलङ्कि तमिति । पृथग्निर्देशेऽपि पूर्वमनुवाद्यस्य शब्दस्य निर्देशः शस्यतरः, समानाधिकरणतायां तदनुविधेयस्यानित्यत्वस्याऽलब्धास्पदस्य तस्य विधातुमशक्यत्वादित्यादि । तदेवमादि वदन् वादी समाश्लिष्यते नियतमश्लाघ्यतया ॥ ૩૯૭ આ કારણથી વાદી અથવા પ્રતિવાદીએ વાદસભામાં (૧) અર્થાન્તર, (૨) ન્યૂનતા, (૩) ક્લિષ્ટતા આદિ દોષોથી અક્લુષિત એવું સાધનવચન અને પરપક્ષમાં દૂષણવચન પોતપોતાના દર્શનને અનુસારે બોલવું જોઇએ. અર્થાન્તરતા આદિ દોષો વિનાનું નિર્દોષ વચન જ બોલવું. તો જ જય થાય. અન્યથા સભાસદો ઉદ્વેગ પામે અને વક્તાની હાર થાય. પ્રશ્ન– અર્થાન્તરતા, ન્યૂનતા, ક્લિષ્ટતા આદિ દોષો કોને કહેવાય ? તે તો સમજાવો. ઉત્તર-‘અર્થાન્તરતા” તો પહેલાં જ સમજાવાઇ ગઇ છે કે વિષયાન્તરમાં જવું. ચાલુ પ્રાસંગિક બાબતથી અન્ય બાબત ઉપર ઉતરી જવું. તેને અર્થાન્તરદોષ કહેવાય છે. (૨) ન્યૂનદોષઃ– જ્યાં જેટલું બોલવું જરૂરી હોય, તેનાથી ઓછું બોલવું. અથવા પોતાના સિદ્ધાન્તમાં કહેલા કરતાં ઓછું બોલવું તે ન્યૂન દોષ કહેવાય છે. જેમકે—નૈયાયિકો (૧) પ્રતિજ્ઞા, (૨) હેતુ, (૩) ઉદાહરણ, (૪) ઉપનય અને (૫) નિગમન આમ પાંચ અવયવોવાળું અનુમાન માને છે, તેને બદલે ચાર જ અવયવવાળું અથવા ત્રણ વગેરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444